મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાં ગુંજી શરણાઈ: મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં દિપાલીના ધવલ સાથે યોજાયા ધામધુમથી લગ્ન


SHARE









મોરબીના વિકાસ વિદ્યાલયમાં ગુંજી શરણાઈ: મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં દિપાલીના ધવલ સાથે યોજાયા ધામધુમથી લગ્ન

વર્તમાન સમયમાં પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરવાના હોય છે તો પણ પરિવારજનોને ચિંતા વધી જતી હોય છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી અનાથ દીકરીના આજે ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા છે અને ૧૬ વર્ષ પહેલા લવારીસ મળી આવેલ દીકરીના રાજ્યના પંચાયત મંત્રી, સંતો મહંતો સહિતના આગેવાનોની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન કરવામાં આવેલ છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિકાસ વિદ્યાલય આવેલ છે ત્યાં અનાથ દીકરી તેમજ સિંગલ પેરેંટ દીકરીઓને રાખવામા આવે છે અને તેના અભ્યાસ તેમજ રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેના માટે મોરબીના દાતાઓ તરફથી છૂટા હાથે સંસ્થાને દાન આપવામાં આવે છે આ સંસ્થામાં રહેતી દીકરીઓમાંથી એક દીકરીના પાંચ વર્ષ પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે તા ૧૬ ના રોજ ફરી વિકાસ વિદ્યાલયમાં લગ્નની શરણાઈ ગુંજી હતી અને સંસ્થાના સંચાલક ભરતભાઇ નિમાવત સહિતનાઓ દ્વારા દિપાલી રામજીભાઇ પટેલ નામની આ સંસ્થામાં જ રહીને મોટી થયેલ દીકરીના મહેન્દ્રનગર ગામે રહેતા ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા

વિકાસ વિદ્યાલયના સંચાલક ભરતભાઇ નિમાવતએ જણાવ્યુ હતું કે, આજથી ૧૬ વર્ષ પહેલા ૩ વર્ષની ઉંમરે મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસેથી એક દીકરી મળી આવી હતી અને ત્યારે પણ દિવાળીના દિવસો હતા જેથી કરીને તેનું માન દીપાલી રાખવામા આવ્યું હતું અને એવું કહેવાય છે કે, જેનું કોઈ નથી તેના ભગવાન છે માટે તેના નામની પાછળ ભગવાન રામનું તે સમયે નામ જોડીને દિપાલી રામજીભાઇ પટેલ એવું નામ તેને સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું જેના આજે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, સાવજીભાઇ કાલરિયા, ગિરીશભાઈ પટેલ, સહિતના આગેવાનો તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતનાઓના આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન કરવામાં આવેલ છે અને આ દીકરીને દાતાઓના સહકારથી સોના ચાંદીના દાગીના સહિતની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે

આ દુનિયામાં જેનું કોઈ નથી તેના ભગવાન છે તે કહેવાતને આજે મોરબીમાં યોજાયેલા દિપાલીના લગ્ન પ્રસંગે સાર્થક કરેલ છે અને આ દીકરીને નાનપણથી લઈને જુવાની સુધી કયારે સાપને પણ વિચાર્યું ન હતું કે તેના લગ્ન આવી રીતે ધામધુમથી યોજાશે ત્યારે આજે લગ્ન કરીને પ્રભુતામાં ડગ માંડવા માટે દિપાલી ધવલકુમાર કાલરીયા સાથે આગળ વધી રહી હતી ત્યારે ભારે હૈયે દિપાલી સંસ્થા અને તેની સાથે રહેતી તેની બહેનથી વિશેષ બહેનપણીઓને છોડવી પડી હતી ત્યારે સંસ્થાના સંચાલક સહિતનાઓએ ભારે હૈયે તેને સંસ્થામાંથી શુભ આશિષ સાથે વિદાય આપી હતી






Latest News