મોરબીના નવાગામ-લીલાપર વચ્ચે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના નવાગામ-લીલાપર વચ્ચે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી તાલુકાના નવાગામ અને લીલાપર ગામની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા નવાગામના રહેવાસી યુવાનને રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ (લીલાપર) ના વતની હરેશભાઇ માવજીભાઈ જાદવ નામનો ૨૫ વર્ષનો યુવાન નવાગામ અને લીલાપર વચ્ચેથી વાહનમાં જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી આગળની તપાસ ચલાવી રહ્યા છે.
યુવાન સારવારમાં
મોરબીના જોન્સનગર વિસ્તાર પાસે રહેતા સુભાષગીરી ભજનગીરી ગોસાઈ નામના ૩૦ વર્ષના યુવાનને તા.૧૭ ના રાત્રીના દસેક વાગ્યે માળિયા ફાટક પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશન રાજેશભાઈ દૂદકીયા નામના ૧૯ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઈજા
મોરબીના રવાપર (નદી) ગામે રહેતા લક્ષ્મીબેન રાજેશભાઈ નામની ૩૫ વર્ષીય પરણીતાને તેના પતિ દ્વારા પેટના ભાગે માર મારવામાં આવતા લક્ષ્મીબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં નાની બજારમાં રહેતા સઇદાબેન એસ. ભીમાણી નામના ૫૨ વર્ષીય મહિલાને તેમના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ હળવદના ધણાદ ગામે રહેતા વસુબેન પ્રેમજીભાઈ વાઘેલા નામની ૩૦ વર્ષની મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના પીપળી ગામે રહેતા કિશોરભાઈ પરસોતમભાઈ ભલગામડીયા નામના ૫૨ વર્ષના આધેડને મહેન્દ્રનગર ચોકડી પાસે હરિગુણ સોસાયટી નજીક બાઇક અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.જયારે મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર ચોકડી નજીક પર્થ પેપર મીલ પાસે રહેતા વિનોદભાઈ બંસીલાલનો પાંચ વર્ષનો પુત્ર અનીષ કારખાના નજીક આવેલ દુકાને વસ્તુ લેવા માટે ગયો હતો ત્યારે ત્યાં તેને કોઈએ માર મારતા સારવારમાં લઈ જવાયો હતો. તેમજ મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા કેશવ જયપ્રકાશભાઈ નામના ૨૨ વર્ષના યુવાનને શહેરના વાવડી રોડ હનુમાન મંદિર પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં લઈ જવાયો હતો