મોરબીના સબ રજિસ્ટ્રાર પાસેથી છેલ્લા દિવસોમાં થયેલા દસ્તાવેજોની ચીફ ઓફિસરે વિગતો મંગાવી
વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ
SHARE
વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ
દિવાળી રૂપી પ્રકાશ પર્વના માધ્યમ દ્વારા કોઈના જીવનમાં આનંદ ઉત્સાહ ભરી દઈએ ચહેરા પર સ્મિત લાવી દઈએ એ જ સાચી ઉજવણી છે. અને માનવ કલ્યાણના ઉમદા ધ્યેય સાથે શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા આવો જ એક કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલી, પૂર્વ છાત્રો, ટ્રસ્ટીગણ અને વિદ્યાભારતી પરિવારના સભ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયા હતા અને સુકો મેવો, મિષ્ટાન્ન, ફરસાણ અને રંગનું વિતરણ સેવા વસ્તિઓ, ઝુંપડપટ્ટીઓ દલિત વર્ગના વિસ્તારમાં વિધ્યાભારતીના આચાર્ય ગણ, વિદ્યાર્થીઓ, પૂર્વ છાત્રો, વાલીઓ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું