મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કુલના નાના ભૂલકાઓએ કર્યુ મોટુ કામ
રાજકોટ જેલમાથી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થયેલ હત્યાનો આરોપી મોરબીમાંથી ઝડપાયો
SHARE
રાજકોટ જેલમાથી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થયેલ હત્યાનો આરોપી મોરબીમાંથી ઝડપાયો
મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુન્હામાં પકડાયેલ અને આજીવન કેદની સજા રાજકોટ જેલમાં ભોગવી રહેલા આરોપીએ હાઈકોર્ટમાંથી ૧૦ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને ત્યાંથી છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો જેને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબી ટીમે પકડીને રાજકોટ જેલ હવાલે કરેલ છે
મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમના પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ અને દશરથસિંહ ચાવડાને મળેલ હકિકત આધારે પોલીસે મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુનાના કામના આરોપી સંદિપભાઇ ઉર્ફે લાલો રમણીકભાઇ ડોડીયા રહે. વિદ્યુતનગર દસ ઓરડીમાં મોરબી વાળાને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરેલ હતી જેથી કરીને આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં રાખવામા આવ્યો હતો અને આ પાકા કામના કેદીએ હાઇકોર્ટમાંથી ૧૦ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને આરોપીને તા ૩૧/૮ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે જામીન પરથી પરત હાજર થયેલ ન હતો જેથી તેને પકડીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી