મોરબીમાં એચઆઈવી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ-ધાત્રી માતાઓને કિટનું વિતરણ કરાયું
SHARE
મોરબીમાં એચઆઈવી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ-ધાત્રી માતાઓને કિટનું વિતરણ કરાયું
દિવાળી તહેવાર નિમિતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે તેમજ બાળકો માટે ન્યુટ્રીશન કીટ અને ઋતુ ગત ફળો વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી ના સ્થાનિક દાતા દ્વારા બહેનોને અંદાજીત રૂપિયા ૧૫૦૦ કિમત એક એવી ૫૦ જેટલી કીટ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ. પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત ઉઠાવી હતી અને અનમોલ ટ્રસ્ટના ટીઆઈના સ્ટાફ દ્વારા મદદ રૂપ થયેલ હતા તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ડીટીઓ એન.એન. ઝાલા તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું. તેમજ આજના આ કાર્યક્રમમાં ડૉ. વિપુલભાઇ કારોલીયા, ડૉ. દિશાબેન પડાલિયા, પિયુષભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમાંના દ્વારા એચઆઈવીની દવાનું મહત્વ પ્રોસ્ટીક આહારનું મહત્વ માતાના દુધ નું મહત્વ તેમજ તકવાદી ચેપ ટી.બી વીશે માહિતી આપેલ હતી.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું