હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન


SHARE













મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન

મોરબીના નવા બસ સ્ટેશન પાસે અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મૂકવામાં આવી હતી તેની જગ્યાએ મોરબીના ‘સેવા એ જ સંપતિ’ ફાઉન્ડેશન દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા મૂકવામાં આવી છે તેની સાથોસાથ ક્રાંતિવિરોની પ્રતિમા પણ મૂકવામાં આવી છે તેનું અનાવરણ આગામી તા ૩૦ ના રોજ કરવામાં આવશે અને ત્યારે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો પણ યોજાશે.

દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જેને આજે પણ લોકો યાદ કરે છે તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે ના ભાગમાં આવેલ સર્કલમાં અગાઉ પ્રતિમા મૂકવામાં આવી હતી જે જગ્યા ઉપર મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને ‘સેવા એજ સંપતિ’ ફાઉન્ડેશનના સંચાલક અજય લોરીયા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા અને ક્રાંતિવિરોની પ્રતિમા મૂકવામાં આવી છે તેના અનાવરણનો કાર્યક્ર્મ રાખવામા આવેલ છે અને આગામી તા.૩૦ ઓકટોબરના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલી પૂરી થયા પછી સાંજે ૫:૦૦ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ અને ક્રાંતિવિરોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યાર બાદ રાતે ૯ કલાકે રવાપર ગામે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને નિલેશ ગઢવી સહિતના કલાકારો દ્વારા જમાવટ કરવામાં આવશે જેથી આ બંને કાર્યક્રમ માટે મોરબીના લોકોને અજય લોરીયાએ જાહેર આમંત્રણ આપ્યું છે.






Latest News