મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન


SHARE













મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન

મોરબીના નવા બસ સ્ટેશન પાસે અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મૂકવામાં આવી હતી તેની જગ્યાએ મોરબીના ‘સેવા એ જ સંપતિ’ ફાઉન્ડેશન દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા મૂકવામાં આવી છે તેની સાથોસાથ ક્રાંતિવિરોની પ્રતિમા પણ મૂકવામાં આવી છે તેનું અનાવરણ આગામી તા ૩૦ ના રોજ કરવામાં આવશે અને ત્યારે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો પણ યોજાશે.

દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જેને આજે પણ લોકો યાદ કરે છે તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે ના ભાગમાં આવેલ સર્કલમાં અગાઉ પ્રતિમા મૂકવામાં આવી હતી જે જગ્યા ઉપર મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને ‘સેવા એજ સંપતિ’ ફાઉન્ડેશનના સંચાલક અજય લોરીયા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા અને ક્રાંતિવિરોની પ્રતિમા મૂકવામાં આવી છે તેના અનાવરણનો કાર્યક્ર્મ રાખવામા આવેલ છે અને આગામી તા.૩૦ ઓકટોબરના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલી પૂરી થયા પછી સાંજે ૫:૦૦ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ અને ક્રાંતિવિરોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યાર બાદ રાતે ૯ કલાકે રવાપર ગામે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને નિલેશ ગઢવી સહિતના કલાકારો દ્વારા જમાવટ કરવામાં આવશે જેથી આ બંને કાર્યક્રમ માટે મોરબીના લોકોને અજય લોરીયાએ જાહેર આમંત્રણ આપ્યું છે.






Latest News