મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન


SHARE







મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન

મોરબીના નવા બસ સ્ટેશન પાસે અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મૂકવામાં આવી હતી તેની જગ્યાએ મોરબીના ‘સેવા એ જ સંપતિ’ ફાઉન્ડેશન દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા મૂકવામાં આવી છે તેની સાથોસાથ ક્રાંતિવિરોની પ્રતિમા પણ મૂકવામાં આવી છે તેનું અનાવરણ આગામી તા ૩૦ ના રોજ કરવામાં આવશે અને ત્યારે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો પણ યોજાશે.

દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જેને આજે પણ લોકો યાદ કરે છે તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે ના ભાગમાં આવેલ સર્કલમાં અગાઉ પ્રતિમા મૂકવામાં આવી હતી જે જગ્યા ઉપર મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને ‘સેવા એજ સંપતિ’ ફાઉન્ડેશનના સંચાલક અજય લોરીયા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા અને ક્રાંતિવિરોની પ્રતિમા મૂકવામાં આવી છે તેના અનાવરણનો કાર્યક્ર્મ રાખવામા આવેલ છે અને આગામી તા.૩૦ ઓકટોબરના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલી પૂરી થયા પછી સાંજે ૫:૦૦ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ અને ક્રાંતિવિરોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યાર બાદ રાતે ૯ કલાકે રવાપર ગામે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને નિલેશ ગઢવી સહિતના કલાકારો દ્વારા જમાવટ કરવામાં આવશે જેથી આ બંને કાર્યક્રમ માટે મોરબીના લોકોને અજય લોરીયાએ જાહેર આમંત્રણ આપ્યું છે.






Latest News