ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મીઠાના કારખાના પાસે ટ્રેક્ટર પલટી જતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













માળીયા (મી) નજીક મીઠાના કારખાના પાસે ટ્રેક્ટર પલટી જતાં ઇજા પામેલ રાજસ્થાની યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામ પાસે આવેલ મીઠાના કારખાનામાં ટ્રેક્ટર ચાલાકે ટ્રેક્ટરને પલટી ખવડાવી દેતા ટ્રેક્ટર ચાલકને મોઢા, માથા, દાઢી અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનની સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના નવોડાબેરાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામે આવેલ જલાલુદ્દીન સોલ્ટ મીઠાના કારખાના પાસે રહેતા હાસમખા વલીમામદભાઈ કલર જાતે સિંધી મુસ્લિમ (ઉંમર ૩૬) એ મરણ જનાર શારુખા ભૈરવખા મંગલિયા જાતે સિંધી (ઉમર ૪૬) રહે. બડનાવાજાગીર તાલુકો પંચપદરા જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે માળીયા મીયાણા નજીક આવેલ જલાલુદ્દીન સોલ્ટ પાસે મૃતક શેરુખા મંગાલીયા પોતાના હવાલા વાળું ટ્રેક્ટર નં. આરજે ૭ આરડી ૦૪૧૩ લઈને પસાર થતો હતો ત્યારે તેને બેફિકરાયથી પોતાના ટ્રેક્ટર ચલાવ્યું હતું અને ટ્રેક્ટર પલટી મારી જતા તેને માથા, મોઢા, દાઢી અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ લઈને મૃતકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર કેન્દ્રીય વિદ્યાલયની પાછળના ભાગમાં શ્રદ્ધાદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રમેશભાઈ સીતાપરા જાતે પટેલ પોતાની કાર નં. જીજે ૩ સીઆર ૫૫૮૫ લઈને મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક નગરનાકા પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક નં. જીજે ૧૨ બીએક્સ ૬૮૭૯ ના ચાલકે તેની કારને લીધી હતી જેથી કરીને સુરેશભાઈને માથામાં તેમજ જમણા નેણ ઉપર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને ટ્રક ચાલકની સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News