મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ખાનગી બસ-છોટાહાથી વચ્ચે અકસ્માતઃ બેના મોત, સાતને ઇજા


SHARE









માળિયા કચ્છ ઉપર આવેલ હરીપર ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં છોટાહાથી અને ખાનગી બસ સામસામે અથડાતા છોટાહાથીમાં જઈ રહેલા મુસાફરોમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે અને અંદાજે સાત વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા કચ્છ હાઇવે ઉપરથી આજે વહેલી સવારના સમયે કચ્છ બાજુ છોટા હાથી જઈ રહી હતી ત્યારે કચ્છ બાજુથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં છોટા હાથીમાં બેઠેલા મુસાફરો પૈકી બે મહિલાના મોત નિપજ્યા છે અને સાતેક વ્યક્તિઓને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વીરપુર ગામ પાસે આવેલ પીઠડીયા ગામના રહેવાસી લોકો પીઠડીયાથી છોટાહાથીમાં કચ્છના કબરાઉ મોગલ ધામ દર્શન કરવા માટે જતા હતા દરમ્યાન વહેલી સવારે આજે જીવલેણ અકસ્માતમાં બનાવ બન્યો છે આ અકસ્માતમાં બનાવવામાં ઇજા પામેલ પ્રકાશભાઈ જયંતીભાઈ મજેઠીયા પાસેથી જાણવા મળતી વધુ વિગત પ્રમાણે તેઓ પોતાના મિત્ર સાથે કબરાઉ ધામ કચ્છમાં દર્શન કરવા માટે જતા હતા અને તે છોટાહાથી માં પાછળ ઠાઠાના ભાગે સુતા હતા દરમિયાન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બે મહિલાના મોત નિપજ્યા છે

કોના મોત નિપજ્યા ?

ચંદાબેન વિપુલભાઈ (30) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (70 ) રહે. બન્ને પીઠડીયા

કોને ઇજાઓ થઇ ? .

પ્રકાશભાઇ મજેઠીયા, જેવીલ વિપુલભાઈ, ધીરુભાઈ ગોંડલીયા, માહિબેન વિપુલભાઈ, મઝરીબેન ચેતનભાઈ ગોંડલીયા, દીપકભાઇ, વિપુલભાઈ ગોંડલીય અને નાથીબેન દેવરાજભાઈ

 

 






Latest News