મોરબીના બાયપાસ રોડ આવેલ 25 વારીયામાં એકટીવા પગમાં અડી જતા યુવાનને પાઇપ વડે બે શખ્સોએ માર માર્યો
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા યુવાને પોતાના લેબર ક્વાર્ટર માં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના સંબંધી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઉમની સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકેશભાઈ દિનેશભાઈ ડામોર (23) એ પોતાના લેબર કવાર્ટર ની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના સંબંધી નગીનભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મૃતદેહ મળ્યો
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે આઈ માતા હોટલની પાછળના ભાગમાં સાઈનબોર્ડ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ઘટના સ્થળ ઉપરથી મળી આવેલ અજાણ્યા પુરુષના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક વ્યક્તિ આશરે ૩૫ વર્ષનો હોય તેની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે