મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો


SHARE









માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો

મોરબીમાંથી પસાર થતાં માળિયા કચ્છ હાઇવે ઉપર આજે વહેલી સવારે હરીપર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં છોટાહાથી અને ખાનગી બસ સામસામે અથડાતા છોટાહાથીમાં જઈ રહેલા મુસાફરોમાંથી ડ્રાઈવર સહિત ૧૦ લોકોને ઇજાઓ થયેલ હતી તેમાંથી ત્રણ મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયેલ છે અને બાળકો સહિત કુલ મળીને છ લોકો હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા કચ્છ હાઇવે ઉપરથી આજે વહેલી સવારના સમયે કચ્છ બાજુ છોટા હાથી જઈ રહી હતી ત્યારે કચ્છ બાજુથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં છોટા હાથીમાં બેઠેલા ડ્રાઈવર સહિતના ૧૦ લોકોને ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે મુસાફરો પૈકી બે મહિલા ચંદાબેન વિપુલભાઈ (૩૦) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (૬૯) રહે. બન્ને પીઠડીયાને મૃત જાહેર કર્યા હતા ને બાકીના ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી જો કે, સારવાર દરમ્યાન છોટા હાથીના ડ્રાઈવર દીપકભાઈ મનુભાઈ જિંજવાડીયા (૩૫) તેમજ જીણીબેન છગનભાઇ ગોંડલિયા (૬૦) નું મોત નીપજયું હતું આમ કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયા છે અને વિપુલભાઈ ગિરધારભાઈ ગોંડલિયા (૪૦), પ્રકાશભાઇ મજેઠીયા (૪૮), જેવીલ વિપુલભાઈ (૩), ધીરુભાઈ મૂળજીભાઈ ગોંડલીયા (૫૦), માહિબેન વિપુલભાઈ (૬), મીશ્રીબેન ચેતનભાઈ ગોંડલીયા (૯)ને ઇયજા થયેલ છે માટે તે સારવારમાં છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વીરપુર ગામ પાસે આવેલ પીઠડીયા ગામના રહેવાસી લોકો પીઠડીયાથી છોટાહાથીમાં કચ્છમાં માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા દરમ્યાન વહેલી સવારે આજે જીવલેણ અકસ્માતમાં બનાવ બન્યો છે 






Latest News