માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો
વાંકાનેરની ભાજપની વિધાનસભાની ટિકિટ ૧૪ આગેવાનમાંથી કોઈપણને આપે તો ભાજપની જીત નિશ્ચિત: કોળી સમાજ થયો એક
SHARE
વાંકાનેરની ભાજપની વિધાનસભાની ટિકિટ ૧૪ આગેવાનમાંથી કોઈપણને આપે તો ભાજપની જીત નિશ્ચિત: કોળી સમાજ થયો એક
મોરબી જીલ્લામાં કાલે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવશે ત્યાર પહેલા જ મોરબી જીલ્લામાં આવતી ૬૭ વાંકાનેર-કુવાડવા વિધાનસભામાં ભાજપ પક્ષ દ્રારા કોળી સમાજને ટીકીટ આપવામાં આવે તેના માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને સમસ્ત કોળી સમાજ ૬૭ વાંકાનેર-કુવાડવા વિધાનસભા સંકલન સમિતિ દ્વારા ૧૪ આગેવાનોના નામ સાથે વાંકાનેરની બેઠક ઉપર ટિકિટની માંગણી કરવામાં ભાજપના નિરીક્ષક પાસે કરવામાં આવશે
૬૭ વાંકાનેર કુવાડવા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજના ૯૦,૦૦૦ મતદારો છે જેથી કોળી સમાજે ભાજપ પક્ષમાંથી વિધાનસભાની અગાઉ પણ અનેક વખત ટિકિટ માંગી છે છતાં પક્ષે કોઈ વખત ટીકીટ આપેલ નથી. તો આગામી વિધાનસભાની ચૂટણીમાં કોળી સમાજને ટીકીટ આપવામાં આવે તો આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. તેવું કોળી સમાજના લોકો કહી રહયા છે વધુમાં જાણવા મળ્યું છે કે, વાંકાનેર – કુવાડવા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજની બે પેટા જ્ઞાતિ છે જેમાં તળપદા અને ચુવાળીયા કોળીનો સમાવેશ થાય છે અને બંને જ્ઞાતિ એક થઇને સમાજની સંકલન સમિતિ બનાવેલ છે આ સમિતિ દ્વારા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોની બેઠક બોલાવેલ હતી અને ભાજપ પક્ષમાંથી દાવેદારી કરી ચુંટણી લડવા તથા ટીકીટ માંગવા ઈચ્છતા ૧૪ જેટલા દાવેદારોના નામો આવ્યા હતા જેથી કરીને તે નામના લિસ્ટ સાથે આ આગેવાનમાંથી કોઈ પણ એકને ટિકિટ આપવામાં આવશે તો તમામ આગેવાનો અને કોળી સમાજ એક થઈને ચૂંટણી લડશે તેવી રજૂઆત કરવામાં આવશે
આ સમિતિ દ્વારા ભાજપ પક્ષમાંથી ટિકિટ લેવા ઇચ્છતા દાવેદારનું લિસ્ટ બનાવવામાં આવેલ છે જેમાં અણીયારીયા રતિલાલ ગણેશભાઈ, સરવૈયા ગોરધનભાઈ પોલાભાઈ, જજરિયા હિતેશભાઈ ભગવાનજીભાઈ, પરમાર રમેશભાઈ મનજીભાઈ, મેર જીજ્ઞાસાબેન રાજેશભાઈ, સોરાણી અજયભાઈ નાથાભાઈ, ચાવડા ધનાભાઇ નાથાભાઈ, નાકીયા વિરજીભાઈ ગોવિંદભાઈ, વાઢેર વિનુભાઈ જીવાભાઈ, કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ, ડાંગરોચા વાઘજીભાઈ કુકાભાઈ, ઉઘરેજા બાબુભાઈ અરજણભાઈ, બાલોન્દ્રા રવજીભાઈ ગગજીભાઇ અને બાવરવા પરષોતમભાઇ વેરશીભાઈ ભુવાનો સમાવેશ થાય છે અને આ ૧૪ પૈકી કોઈ પણ એક દાવેદારને ભાજપ પક્ષમાંથી ટીકીટ આપવામાં આવે તેવી સમસ્ત કોળી સમાજની માંગણી અને લાગણી છે અને જો ટીકીટ આ લોકોમાંથી કોઈને આપીને ચુંટણી લડવા આદેશ કરવામાં આવશે તો એક સિવાયના તમામ ૧૩ દાવેદારો અને આ વિધાનસભામાં રહેતા સમસ્ત કોળી સમાજના લોકો તન-મન-ધનથી સાથે રહેશે અને બહોળી લીડથી ભાજપને લીડ અપાવશે તેવી ભાજપના પ્રદેશના નિરીક્ષોને આ સમિતિ બાહેંધરી આપશે