ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી


SHARE













મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ શ્રી ગણેશ પેલેટ કારખાનાની બહારના ભાગમાંથી વાહન લઈને નીકળતા હતા ત્યારે રિવર્સમાં આવતી યુટીલીટીના ચાલકને સમજાવવા જતા માથાકૂટ થઈ હતી અને બોલાચાલી થઈ હતી ત્યાર બાદ સામસામે મારમારી પણ થયેલ હતી હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સૂર્યકીર્તિ નગર શેરી નં-૨ માં શાંતિ પ્લે હાઉસની બાજુમાં હાલમાં રહેતા મૂળ બિહારના રહેવાસી બિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિંહા જાતે કુર્મી (૩૪) એ હાલમાં ગોકુલભાઈ અને મુનીરામભાઈ રહે. બંને ગણેશ પ્લેટ કારખાના લાલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાની કિયા કાર લઈને નીકળતા હતા ત્યારે ગોકુળભાઈ પોતાની યુટીલીટી વાહન આગળ પાછળ જોયા વિના રિવર્સ લેતા હતા અને બિક્રમકુમાર તેને સમજાવવા જતા તે એકદમ મુશ્કેલાઈ ગયા હતા અને ત્યારે સામે વાળાએ ગાળો આપી હતી માર માર્યો હતો તેમજ મુનીરામભાઇએ ગાળો બોલીને લોખંડના પાઈપ માર્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થતા સારવારમાં લાવ્યા હતા અને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી આ બનાવમાં મુનીરામભાઈ અદાલતભાઈ ચૌધરી જાતે કુર્મી (૨૯) એ બિક્રમકુમાર સિંન્હા અને રાજુભાઈ સિંહા રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગણેશ કારખાનાની બહાર તેઓ ફોન ઉપર વાત કરતા હતા ત્યારે બિક્રમકુમાર પોતાની કિયા કાર લઈને નીકળતા ગોકુલભાઈની સાથે બોલાચાલી કરીને ઢિકાપાટુનો માર મારીને ગાળો આપતા હતા અને તેની સાથે રહેલ શખ્સ દ્વારા પણ યુટીલીટીના કાચમાં લાકડીનો ધોકો મારીને કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેથી કરીને મુનીરામભાઈ ચૌધરીની ફરિયાદ લઈને પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News