મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જલારામ પ્રાથના મંદિરે  વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે


SHARE









મોરબીના શ્રી જલારામ પ્રાથના મંદિરે  વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે

મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવે છે.પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગનુ અનેરુ આયોજન કરવામાં આવેલ છે.છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓમાં મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો તેમજ હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓના દ્રારા પુજન અને કેક કટીંગ કરાવવામાં આવ્યા હતા.

શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાનાર સપ્તવિધ કાર્યક્રમો પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, પૂ.જલારામબાપાનુ પૂજન,વૈદિક યજ્ઞ, વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ, મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદ.પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે.જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે.દરેક જલારામ ભક્તોને પધારવા મંદિર તરફથી ભાવભર્યુ નિમંત્રણ છે.બપોરે ૩ કલાકે જલારામ મંદિર ખાતેથી સમસ્ત રઘુવંશી સમાજ આયોજીત વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે મોરબીના રાજમાર્ગો પર ફરી દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી ખાતે વિરામ લેશે જ્યાં જલારામ જયંતિ ઉત્સવ સમિતી દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ જ્ઞાતિ ભોજન યોજાશે.






Latest News