મોરબીમાં તા.૩૧ ના એકતા દિવસ અન્વયે ૧૦૦ જગ્યાએ એકતા દોડનું આયોજન : કલેકટર જી.ટી.પંડ્યા
મોરબીના શ્રી જલારામ પ્રાથના મંદિરે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે
SHARE
મોરબીના શ્રી જલારામ પ્રાથના મંદિરે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે
મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવે છે.પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગનુ અનેરુ આયોજન કરવામાં આવેલ છે.છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓમાં મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો તેમજ હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓના દ્રારા પુજન અને કેક કટીંગ કરાવવામાં આવ્યા હતા.
શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાનાર સપ્તવિધ કાર્યક્રમો પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, પૂ.જલારામબાપાનુ પૂજન,વૈદિક યજ્ઞ, વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ, મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદ.પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે.જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે.દરેક જલારામ ભક્તોને પધારવા મંદિર તરફથી ભાવભર્યુ નિમંત્રણ છે.બપોરે ૩ કલાકે જલારામ મંદિર ખાતેથી સમસ્ત રઘુવંશી સમાજ આયોજીત વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે મોરબીના રાજમાર્ગો પર ફરી દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી ખાતે વિરામ લેશે જ્યાં જલારામ જયંતિ ઉત્સવ સમિતી દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ જ્ઞાતિ ભોજન યોજાશે.