માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન


SHARE













મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન

રાજસ્થાનના ઉદયપુર ખાતે નારાયણ સેવા સંસ્થાન દ્વારા જન્મજાત વિકલાંગોની સેવા કરવામાં આવી રહી છે અને આ ભગીરથ સેવા કાર્યમાં જે કોઈ આર્થિક સહયોગી દાતાઓ છે તેઓનો સન્માન કરવા અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.આવતી કાલે તા.૩૦ ને રવિવારના રોજ મોરબી ખાતે દાનવિપોના સન્માનની સાથે નવા વર્ષે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ભામાશા જેવા દાનવીરોના વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમથી ગરીબ, અસહાય, અપંગ ભાઈ-બહેનોની સેવા માટે નર સેવા એજ નારાયણ સેવાની ભાવના સાથે ઘણા વર્ષોથી નારાયણ સેવા સંસ્થાનમાં સેવા ચાલી રહેલ છે.દાતાઓના સહયોગથી સંસ્થાન ૩૭ વર્ષોથી જન્મજાત વિકલાંગોના ઓપરેશન કરીને સંસ્થાએ લગભગ ૪,૭૫,૦૦૦ વિકલાંગોના સફળ ઓપરેશન કરીને તેમના જીવનમાં સુખના પ્રાણ પુર્યા છે.આ પરંપરાને જીવિત રાખવા અને આગળ વધારવાના ઉદ્દેશથી સંસ્થાએ આત્મીય સ્નેહ મિલન અને ભામાશા સમારોહનું આયોજન કરી દાનવીરોને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.આ સમારોહમાં પ.પૂ. ડો. કૈલાશ માનવના પ્રમુખ ઉપસ્થિત રહી દાતાઓનું સન્માન કરશે. નારાયણ સેવા સંસ્થાન, ઉદેપુર દ્વારા આયોજિત આત્મીય સ્નેહ મિલન સમારોહ તા.૩૦-૧૦ ને રવિવારે સવારે ૧૧ કલાકે શ્રી વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ આયોજનમાં મોરબી જિલ્લાના ૨૦૦ થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવશે.વધુ માહિતી માટે તરૂણભાઈ નાગદા (રાજકોટ નારાયણ સેવા સંસ્થાન ઈન્ચાર્જ) મો. ૯૫૨૯૯ ૨૦૦૮૩ ઉપર કોન્ટેક કરવા યાદીમાં જણાાયેલ છે.






Latest News