મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન


SHARE











મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન

રાજસ્થાનના ઉદયપુર ખાતે નારાયણ સેવા સંસ્થાન દ્વારા જન્મજાત વિકલાંગોની સેવા કરવામાં આવી રહી છે અને આ ભગીરથ સેવા કાર્યમાં જે કોઈ આર્થિક સહયોગી દાતાઓ છે તેઓનો સન્માન કરવા અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.આવતી કાલે તા.૩૦ ને રવિવારના રોજ મોરબી ખાતે દાનવિપોના સન્માનની સાથે નવા વર્ષે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ભામાશા જેવા દાનવીરોના વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમથી ગરીબ, અસહાય, અપંગ ભાઈ-બહેનોની સેવા માટે નર સેવા એજ નારાયણ સેવાની ભાવના સાથે ઘણા વર્ષોથી નારાયણ સેવા સંસ્થાનમાં સેવા ચાલી રહેલ છે.દાતાઓના સહયોગથી સંસ્થાન ૩૭ વર્ષોથી જન્મજાત વિકલાંગોના ઓપરેશન કરીને સંસ્થાએ લગભગ ૪,૭૫,૦૦૦ વિકલાંગોના સફળ ઓપરેશન કરીને તેમના જીવનમાં સુખના પ્રાણ પુર્યા છે.આ પરંપરાને જીવિત રાખવા અને આગળ વધારવાના ઉદ્દેશથી સંસ્થાએ આત્મીય સ્નેહ મિલન અને ભામાશા સમારોહનું આયોજન કરી દાનવીરોને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.આ સમારોહમાં પ.પૂ. ડો. કૈલાશ માનવના પ્રમુખ ઉપસ્થિત રહી દાતાઓનું સન્માન કરશે. નારાયણ સેવા સંસ્થાન, ઉદેપુર દ્વારા આયોજિત આત્મીય સ્નેહ મિલન સમારોહ તા.૩૦-૧૦ ને રવિવારે સવારે ૧૧ કલાકે શ્રી વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ આયોજનમાં મોરબી જિલ્લાના ૨૦૦ થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવશે.વધુ માહિતી માટે તરૂણભાઈ નાગદા (રાજકોટ નારાયણ સેવા સંસ્થાન ઈન્ચાર્જ) મો. ૯૫૨૯૯ ૨૦૦૮૩ ઉપર કોન્ટેક કરવા યાદીમાં જણાાયેલ છે.






Latest News