મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન


SHARE









મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન

રાજસ્થાનના ઉદયપુર ખાતે નારાયણ સેવા સંસ્થાન દ્વારા જન્મજાત વિકલાંગોની સેવા કરવામાં આવી રહી છે અને આ ભગીરથ સેવા કાર્યમાં જે કોઈ આર્થિક સહયોગી દાતાઓ છે તેઓનો સન્માન કરવા અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.આવતી કાલે તા.૩૦ ને રવિવારના રોજ મોરબી ખાતે દાનવિપોના સન્માનની સાથે નવા વર્ષે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ભામાશા જેવા દાનવીરોના વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમથી ગરીબ, અસહાય, અપંગ ભાઈ-બહેનોની સેવા માટે નર સેવા એજ નારાયણ સેવાની ભાવના સાથે ઘણા વર્ષોથી નારાયણ સેવા સંસ્થાનમાં સેવા ચાલી રહેલ છે.દાતાઓના સહયોગથી સંસ્થાન ૩૭ વર્ષોથી જન્મજાત વિકલાંગોના ઓપરેશન કરીને સંસ્થાએ લગભગ ૪,૭૫,૦૦૦ વિકલાંગોના સફળ ઓપરેશન કરીને તેમના જીવનમાં સુખના પ્રાણ પુર્યા છે.આ પરંપરાને જીવિત રાખવા અને આગળ વધારવાના ઉદ્દેશથી સંસ્થાએ આત્મીય સ્નેહ મિલન અને ભામાશા સમારોહનું આયોજન કરી દાનવીરોને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.આ સમારોહમાં પ.પૂ. ડો. કૈલાશ માનવના પ્રમુખ ઉપસ્થિત રહી દાતાઓનું સન્માન કરશે. નારાયણ સેવા સંસ્થાન, ઉદેપુર દ્વારા આયોજિત આત્મીય સ્નેહ મિલન સમારોહ તા.૩૦-૧૦ ને રવિવારે સવારે ૧૧ કલાકે શ્રી વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ આયોજનમાં મોરબી જિલ્લાના ૨૦૦ થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવશે.વધુ માહિતી માટે તરૂણભાઈ નાગદા (રાજકોટ નારાયણ સેવા સંસ્થાન ઈન્ચાર્જ) મો. ૯૫૨૯૯ ૨૦૦૮૩ ઉપર કોન્ટેક કરવા યાદીમાં જણાાયેલ છે.






Latest News