મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનાના કુટુંબીજનોને ભારત વિકાસ પરિષદના તબીબો એક વર્ષ ફ્રી ઓપીડી સેવા આપશે


SHARE













મોરબી પુલ દુર્ઘટનાના કુટુંબીજનોને ભારત વિકાસ પરિષદના તબીબો એક વર્ષ ફ્રી ઓપીડી સેવા આપશે

તા.૩૦-૧૦-૨૨ ને રવિવાર કારતક સુદ ૬ ,વિક્રમ સંવત ૨૦૭૯ (ડાલા છઠ્ઠ) ને મોરબીવાલીઓ કયારેય ભુલવાના નથી કેમ કે આ ગોજારા દિવસે જ મોરબીમાં ઝુલતા પૂલ તૂટવાની આકસ્મિક ઘટનામાં ૧૩૫ જેટલા હતભાગીઓના મૃત્યુ પામ્યા અને અનેકને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃત્યુ પામનાર દરેકના આત્માને પ્રભુ શાંતિ આપે એવી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવે છે.આ ધટના પછી મોરબી શાખાના સભ્યો દ્વારા પ્રત્યક્ષ સીવીલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી હતી.આ કરુણ ઘટના પછી પણ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા હરહંમેશ માટે બાઘાની સાથે રહીને જે કાંઈ સેવા માટે સાથે રહેશે.મોરબી શાખાના ડોક્ટર સભ્યો તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગત કુટુંબીજનોને એક વર્ષ માટે ફ્રી ઓપીડી કન્સલટેશનની સેવા પૂરી પાડવામાં આવશે જે તબીબો આ સેવા આપવાના છે. તેમાં ડો જયેશભાઈ પનારા (સ્ત્રી રોગ નિષ્ણાત,કલરવ હોસ્પિટલ), ડો અમીત ગામી (સર્જન એપલ હોસ્પિટલ), ડો શૈલેષ પટેલ (આંખના રોગના નિષ્ણાત, એપલ હોસ્પિટલ), ડો રાકેશ પટેલ (ફીઝીસીયન,એમ.ડી. ,નકલંક હોસ્પિટલ), ડો ધર્મેશ ભાલોડિયા (સત્યમ હોસ્પિટલ, એમ.ડી., ફીઝીસીયન), ડો ઉત્સવ દવે (ડેન્ટીસ્ટ એકદંત હોસ્પિટલ), ડો સુવાગિયા અર્જુન (સ્ત્રી રોગ નિષ્ણાત, વરદાન હોસ્પિટલ), ડો.નયન પટેલ (બાળ રોગ નિષ્ણાત, શુભમ બાળકોની હોસ્પિટલ), ડો અર્પણાબહેન કૈલા (સ્ત્રી રોગ નિષ્ણાત, શુભમ પ્રસૂતિ ગૃહ) નો સમાવેશ થાય છે તેમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારા અને સચીવ અશ્વિનભાઈ રાઠોડે યાદીમાં જણાવેલ છે.




Latest News