મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનાના કુટુંબીજનોને ભારત વિકાસ પરિષદના તબીબો એક વર્ષ ફ્રી ઓપીડી સેવા આપશે


SHARE









મોરબી પુલ દુર્ઘટનાના કુટુંબીજનોને ભારત વિકાસ પરિષદના તબીબો એક વર્ષ ફ્રી ઓપીડી સેવા આપશે

તા.૩૦-૧૦-૨૨ ને રવિવાર કારતક સુદ ૬ ,વિક્રમ સંવત ૨૦૭૯ (ડાલા છઠ્ઠ) ને મોરબીવાલીઓ કયારેય ભુલવાના નથી કેમ કે આ ગોજારા દિવસે જ મોરબીમાં ઝુલતા પૂલ તૂટવાની આકસ્મિક ઘટનામાં ૧૩૫ જેટલા હતભાગીઓના મૃત્યુ પામ્યા અને અનેકને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃત્યુ પામનાર દરેકના આત્માને પ્રભુ શાંતિ આપે એવી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવે છે.આ ધટના પછી મોરબી શાખાના સભ્યો દ્વારા પ્રત્યક્ષ સીવીલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી હતી.આ કરુણ ઘટના પછી પણ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા હરહંમેશ માટે બાઘાની સાથે રહીને જે કાંઈ સેવા માટે સાથે રહેશે.મોરબી શાખાના ડોક્ટર સભ્યો તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગત કુટુંબીજનોને એક વર્ષ માટે ફ્રી ઓપીડી કન્સલટેશનની સેવા પૂરી પાડવામાં આવશે જે તબીબો આ સેવા આપવાના છે. તેમાં ડો જયેશભાઈ પનારા (સ્ત્રી રોગ નિષ્ણાત,કલરવ હોસ્પિટલ), ડો અમીત ગામી (સર્જન એપલ હોસ્પિટલ), ડો શૈલેષ પટેલ (આંખના રોગના નિષ્ણાત, એપલ હોસ્પિટલ), ડો રાકેશ પટેલ (ફીઝીસીયન,એમ.ડી. ,નકલંક હોસ્પિટલ), ડો ધર્મેશ ભાલોડિયા (સત્યમ હોસ્પિટલ, એમ.ડી., ફીઝીસીયન), ડો ઉત્સવ દવે (ડેન્ટીસ્ટ એકદંત હોસ્પિટલ), ડો સુવાગિયા અર્જુન (સ્ત્રી રોગ નિષ્ણાત, વરદાન હોસ્પિટલ), ડો.નયન પટેલ (બાળ રોગ નિષ્ણાત, શુભમ બાળકોની હોસ્પિટલ), ડો અર્પણાબહેન કૈલા (સ્ત્રી રોગ નિષ્ણાત, શુભમ પ્રસૂતિ ગૃહ) નો સમાવેશ થાય છે તેમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારા અને સચીવ અશ્વિનભાઈ રાઠોડે યાદીમાં જણાવેલ છે.






Latest News