મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સદગતોની આત્માની શાંતિ અર્થે યોજી પ્રાર્થનાસભા
SHARE
મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સદગતોની આત્માની શાંતિ અર્થે યોજી પ્રાર્થનાસભા
શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા અહીંના શ્રીજી હોલ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટીઓ ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, મણીભાઈ સરડવા, જ્યંતિભાઈ વિડજા, ઈશ્વરભાઈ સબાપરા, મગનભાઈ આઘારા, કમલેશભાઈ કૈલા, જયેશભાઇ રંગપરિયા, ચંદુભાઈ કુંડારિયા, જ્યંતિભાઈ શેરસિયા, સવજીભાઈ સુરાણી તથા સમૂહ લગ્ન સમિતિના મોરબી જિલ્લાના દરેક ગામના કારોબારી સભ્યોએ મોરબી ઝુલતા પુલમાં મુત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપેલ અને તેમના આત્માને પ્રભુ સદગતિ આપે અને તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી.









