મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 


SHARE









મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા(મિં.) દ્વારા રામાનંદ ભવન રામઘાટ મોરબી મુકામે આગામી તા.૮-૧૧ ને મંગળવાર કારતક સુદ પૂનમના જગત ગુરુ નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ ત્થા રામાનંદી સાધુ સમાજના પરિવારોનુ નવાવર્ષના સ્નેહમિલન સમારોહ રાખેલ હતો પરંતુ જુલતો પુલ તૂટવાની ગોજારી ઘટના બનતા અનેક લોકો મૃત્યુને ભેટ્યા અનેક લોકો ઈજા ગ્રસ્ત થયેલા હોય હાલ તે સમગ્ર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.

વાર તહેવાર વરસો વર્ષ આવવાના જ છે પરંતુ દુઃખદાયક બનાવમા બધાના સહભાગી તો થઈ શકીએ તેમ નથી પરંતુ એક વર્ષ ઉત્સવ ન મનાવી દુઃખદાયક ઘટનાના સહભાગી થવા તમામ કાર્યક્રમ રદ કરેલ છે જેથી તમામ રામાનંદી સાધુ સમાજને જાહેર જાણ કરવામા આવેલ છે..માત્ર જગત ગુરૂ ભગવન્નિમ્બાકાચાર્યજીનુ પુજન અર્ચન તા.૮ ને મંગળવાર સવારે નવ વાગ્યે રાખેલ છે.મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો બંધ રાખવામા આવેલ છે.જેની દરેક જ્ઞાતી બંધુઓએ નોધ લેવી તેમ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ નિમાવત અને મંત્રી ચંદ્રકાંતભાઈ રામાનુજે યાદીમાં જણાવેલ છે.






Latest News