મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 


SHARE





મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા(મિં.) દ્વારા રામાનંદ ભવન રામઘાટ મોરબી મુકામે આગામી તા.૮-૧૧ ને મંગળવાર કારતક સુદ પૂનમના જગત ગુરુ નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ ત્થા રામાનંદી સાધુ સમાજના પરિવારોનુ નવાવર્ષના સ્નેહમિલન સમારોહ રાખેલ હતો પરંતુ જુલતો પુલ તૂટવાની ગોજારી ઘટના બનતા અનેક લોકો મૃત્યુને ભેટ્યા અનેક લોકો ઈજા ગ્રસ્ત થયેલા હોય હાલ તે સમગ્ર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.

વાર તહેવાર વરસો વર્ષ આવવાના જ છે પરંતુ દુઃખદાયક બનાવમા બધાના સહભાગી તો થઈ શકીએ તેમ નથી પરંતુ એક વર્ષ ઉત્સવ ન મનાવી દુઃખદાયક ઘટનાના સહભાગી થવા તમામ કાર્યક્રમ રદ કરેલ છે જેથી તમામ રામાનંદી સાધુ સમાજને જાહેર જાણ કરવામા આવેલ છે..માત્ર જગત ગુરૂ ભગવન્નિમ્બાકાચાર્યજીનુ પુજન અર્ચન તા.૮ ને મંગળવાર સવારે નવ વાગ્યે રાખેલ છે.મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો બંધ રાખવામા આવેલ છે.જેની દરેક જ્ઞાતી બંધુઓએ નોધ લેવી તેમ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ નિમાવત અને મંત્રી ચંદ્રકાંતભાઈ રામાનુજે યાદીમાં જણાવેલ છે.




Latest News