મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો
SHARE
મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો
શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા(મિં.) દ્વારા રામાનંદ ભવન રામઘાટ મોરબી મુકામે આગામી તા.૮-૧૧ ને મંગળવાર કારતક સુદ પૂનમના જગત ગુરુ નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ ત્થા રામાનંદી સાધુ સમાજના પરિવારોનુ નવાવર્ષના સ્નેહમિલન સમારોહ રાખેલ હતો પરંતુ જુલતો પુલ તૂટવાની ગોજારી ઘટના બનતા અનેક લોકો મૃત્યુને ભેટ્યા અનેક લોકો ઈજા ગ્રસ્ત થયેલા હોય હાલ તે સમગ્ર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.
વાર તહેવાર વરસો વર્ષ આવવાના જ છે પરંતુ દુઃખદાયક બનાવમા બધાના સહભાગી તો થઈ શકીએ તેમ નથી પરંતુ એક વર્ષ ઉત્સવ ન મનાવી દુઃખદાયક ઘટનાના સહભાગી થવા તમામ કાર્યક્રમ રદ કરેલ છે જેથી તમામ રામાનંદી સાધુ સમાજને જાહેર જાણ કરવામા આવેલ છે..માત્ર જગત ગુરૂ ભગવન્નિમ્બાકાચાર્યજીનુ પુજન અર્ચન તા.૮ ને મંગળવાર સવારે નવ વાગ્યે રાખેલ છે.મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો બંધ રાખવામા આવેલ છે.જેની દરેક જ્ઞાતી બંધુઓએ નોધ લેવી તેમ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ નિમાવત અને મંત્રી ચંદ્રકાંતભાઈ રામાનુજે યાદીમાં જણાવેલ છે.