ઝુલતા પુલ દુર્ઘટનામાં રીટાયર્ડ આર્મી મેન તથા તાલીમાર્થીઓએ અનેક લોકોના જીવ બચાવ્યા
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ચીફ ઓફિસર પાસેથી દસ્તાવેજી પુરાવા લેતા તપાસનીશ અધિકારી
SHARE
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ચીફ ઓફિસર પાસેથી દસ્તાવેજી પુરાવા લેતા તપાસનીશ અધિકારી
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંચાઈ છે અને હાલમાં પોલીસ દ્વારા એક પછી એક પાસાની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ઝૂલતા પુલની માલિકી મોરબી પાલિકાની છે જેથી કરીને ઝૂલતા પુલની દુર્ઘટનાની તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારી દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને ત્યાં બોલાવીને તેની પાસેથી કરારને લાગતું તમામ સાહિત્ય કબજે કરવામાં આવેલ છે
મોરબીમા રવિવારે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને આ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા છે ત્યારે પુલનું રીનોવેશન કરીને ખુલ્લો મૂકનાર મેનેજમેંટ એજન્સી અને મેંટેનસ એજન્સી સામે ગુનો નોંધીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં ચાર આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે આ ઘટનાની તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારી દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલને ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ ઓરેવા ગ્રૂપની સાથે જે કરાર કરવામાં આવેલ છે તેના જરૂરી દસ્તાવેજી પુરાવા તેની પાસેથી લેવામાં આવ્યા છે અને તેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને પાલિકાના નિયમ તેમજ જોગવાઈ મુજબ કરાર કરીને આપવામાં આવેલ છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે