ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે એસિડ પી ગયેલ યુવાનનું મોત


SHARE













મોરબીના ચકમપર ગામે એસિડ પી ગયેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ પી ગયો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા રાજેશભાઈ શામજીભાઈ ચૌહાણ (૪૬) પોતાના ઘરે હતા ત્યારે ગત તા. ૨૯ ના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં એસિડ પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને રાજકોટની હોસ્પિટલ મારફતે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

યુવતી ગુમ

મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ બાલાજી હોમ્સ બ્લોક નંબર ૩૦૨ માં રહેતા પ્રમોદભાઈ દિનકરભાઇ અત્રિ જાતે બ્રાહ્મણ (૫૫) એ હાલમાં તેની દીકરી રાધિકાબેન પ્રમોદભાઈ અત્રી (૨૨) ગુમ થઈ હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૫/૧૦ ના રોજ રાત્રિના ૧૨  વાગ્યાથી લઈને સવારે ૩ વાગ્યે સુધીમાં કોઈપણ સમયે તેની દીકરી ઘરેથી કોઈને કશું કર્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પોલીસે ગુમ સુધા નોંધ કરીને યુવતીને શોધવા માટે થઈને આગળી કાર્યવાહી હાથ ધરી છે






Latest News