મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબી : રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ વૃદ્ધની ભાળ મળી


SHARE













મોરબી : રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ વૃદ્ધની ભાળ મળી

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે થોડા દિવસો પહેલા સારવાર માટે એક વૃદ્ધને લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.રાજકોટ ખાતે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.મેસવાણિયા દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ગત તા.૨૭-૧૦ ના રોજ બીમારી સબબ મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બાદમાં તે વૃદ્ધને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત તા.૨-૧૧ ના રોજ વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને આ વૃદ્ધના વાલી વારસ માટે તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે મૃતક વૃદ્ધનું નામ કનુભાઈ દલપતભાઈ રાવલ (ઉમર ૬૫) મૂળ રહે.ખાખરાળા તા.જી.મોરબી હોવાનું ખુલ્યું હતું.વધુમાં પોલીસ સૂત્રમાંથી મળતી માહિતી મુજબ મૃતક કનુભાઈ રાવલ અહીંતહીં રખડતું ભટકતું જીવન જીવતા હતા તેમના એક ભાઈ મોરબી અને બીજા ભાઈ સુરેન્દ્રનગર રહે છે અને તેઓ મોરબી અને ખાખરાળા એકલું અટુલુ જીવન જીવતા હતા.જ્યારે મોરબીના મોડપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ કગથરા અને તેમની દીકરી વૃંદા (ઉંમર ૯) બાઇકમાં જતા હતા ત્યારે મોડપર અને બીલીયા ગામની વચ્ચે તેમના બાઇકની આડે અચાનક રોજડુ આડુ ઉતરતા ઈજાગ્રસ્ત વૃંદાને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી રમીલાબેન સાગરભાઇ સોલંકી નામની ૩૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર વંદા મારવાની દવા પી જતા સારવાર માટે લઇ જવામાં આવી હતી.જ્યારે માળિયા (મિં.) ના જુના ઘાંટીલા ગામે રહેતો હાર્દિક મહેન્દ્રભાઈ વીડજા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેને ગામમાં જ બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતા મોરબીના સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના નવા જાંબુડીયા ગામે સિરામિક યુનિટમાં કામ દરમિયાન સાપ કરડી જતા હીરામણી રાજુભાઈ સોરેન નામના ૩૫ વર્ષના મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠા લાલબાગ વિસ્તારમાં જૂની કલેકટર કચેરીના પાછળના ગેટ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના સામાકાંઠે રહેતા નવઘણ મનુભાઈ ડુંગરા નામના ૨૨ વર્ષના યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર જુના જાંબુડીયા ગામે રહેતા વિજય લાભુભાઈ વિજવાડીયા નામના ૨૦ વર્ષના યુવાનને સ્વીડન સિરામિક નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News