મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાના દુઃખથી મોટા દુઃખની વાતએ છે કે દોષીતોને બચાવવાનો પ્રયત્ન થાય છે: અરવિંદ કેજરીવાલ


SHARE















મોરબી જિલ્લાના વાંકાનેરમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં રોડ શો યોજાયો હતો ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો આ રોડ શો માં હાજર રહ્યા હતા. ખાસ કરીને લોકોને સંબોધન કરતા મોરબીમાં ઝુલતાપુલ તૂટી પાડવાની દુર્ઘટનાને લઈને અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર ઉપર મોટો આક્ષેપ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે દુર્ઘટના બની તેના કરતાં પણ મોટી દુઃખની વાત એ છે કે જેના કારણે આ દુર્ઘટના બની છે તેને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે અને એફઆઇઆરમાં રીનોવેનનું કામ કરનાર કંપની કે તેના માલિકનું નામ જ નથી આટલું જ નહીં આ કંપનીના માલિક અને કંપની સાથે સરકારને શું સંબંધ છે તેઓ પણ સવાલ ઉઠાવ્યો છે

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આજે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો રોડ શો યોજાયો હતો અને ત્યારે મોટી સંખ્યામાં વાંકાનેર તેમજ મોરબી જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના સમર્થકો ત્યાં હાજર રહ્યા હતા અને વાંકાનેરના જકાતનાકાથી લઈને માર્કેટ ચોક સુધી આ રોડ યોજાયો હતો દરમિયાન લોકોનું સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સયોજક અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નહીં નવા એન્જિનની સરકાર બનાવવાની છે અને તમે લોકો મને તમારો ભાઈ માનો છો ત્યારે તમારા પરિવારનો હિસ્સો બનીને તમારા પરિવારની ચિંતા હું કરીશ અને આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભામાં સરકાર બનશે ત્યારબાદ માર્ચ મહિનાથી લોકોને વીજ બીલમાં રાહત સહિતની જે કાંઈ સુવિધાઓ છે તે મળવાની શરૂ થઈ જશે અને ખાસ કરીને મોરબીમાં મચ્છુ નદી ઉપર વર્ષો પહેલા જે ઝુલતો પુલ બનાવવામાં આવેલ તે પુલ તૂટી પડ્યો છે જેથી 55 બાળક સહિત 135 લોકોના મોત થયા છે તે ઘટનાને લઈને તેમને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે પુલ તૂટી પડ્યો તે દુર્ઘટનાના દુઃખ કરતાં પણ મોટું દુઃખ એ વાતનું છે કે જેના કારણે આ દુર્ઘટના થઈ તે લોકોને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, જે કંપનીએ આ પુલનું રીનોવેશન કામ કર્યું હતું તે કંપની કે તે પછી કંપનીના માલિકનું એફઆઇઆરમાં નામ જ નથી જેથી કરીને આ કંપની અને કંપનીના માલિક સાથે સરકારને શું સંબંધ છે તેને લઈને પણ કેજરીવાલે અણીદાર સવાલ સરકાર સામે કર્યો છે






Latest News