મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું


SHARE









મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું

ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે જુદાજુદા સ્થળે કાર્યક્ર્મ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના મોડપર અને રંગપર બેલા ગામે મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટેના કાર્યક્ર્મ હતા તેવી જ રીતે મોરબીમાં સુન્ની મુસ્લિમ  સમાજના લોકોએ જુલૂસ રદ કરીને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

જશ્ને ઈદ ગૌષે આઝમ કા જુલૂસ રદ
મોરબીમાં સોમવારે ગૌષે આઝમ કી બારગાહ અને ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકો માટે ઈસાલે સવાબ કી મહેફિલ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે ખુરેશી જમાતખાના મતવાવાસ મોરબી ખાતે રાખેલ અને તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ત્યાં હાજર રહ્યા હતા અને સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મૃતકોને પાંચ મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઝૂલૂસ રદ કર્યું હતું

ધૂન, ભજન અને મહાપ્રસાદ
મોરબી તાલુકાનાં રંગપર બેલા ગામે આવેલા કેરાળીયા હનુમાનજી મંદિરે ઝૂલતા પુલ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના આત્માની શાંતિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ ધૂન, ભજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા

મોડપર શ્રદ્ધાંજલિ
મોરબીમાં ઝૂલતા પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી તાલુકાનાં મોડપર ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને સાથે જ રામધૂનનું પણ ગામના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને મોડપર સમસ્ત ગામ વતી શ્રદ્ધાંજલિ સભા અને રામધૂન રાખવામા આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા






Latest News