મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું


SHARE













મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું

ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે જુદાજુદા સ્થળે કાર્યક્ર્મ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના મોડપર અને રંગપર બેલા ગામે મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટેના કાર્યક્ર્મ હતા તેવી જ રીતે મોરબીમાં સુન્ની મુસ્લિમ  સમાજના લોકોએ જુલૂસ રદ કરીને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

જશ્ને ઈદ ગૌષે આઝમ કા જુલૂસ રદ
મોરબીમાં સોમવારે ગૌષે આઝમ કી બારગાહ અને ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકો માટે ઈસાલે સવાબ કી મહેફિલ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે ખુરેશી જમાતખાના મતવાવાસ મોરબી ખાતે રાખેલ અને તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ત્યાં હાજર રહ્યા હતા અને સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મૃતકોને પાંચ મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઝૂલૂસ રદ કર્યું હતું

ધૂન, ભજન અને મહાપ્રસાદ
મોરબી તાલુકાનાં રંગપર બેલા ગામે આવેલા કેરાળીયા હનુમાનજી મંદિરે ઝૂલતા પુલ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના આત્માની શાંતિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ ધૂન, ભજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા

મોડપર શ્રદ્ધાંજલિ
મોરબીમાં ઝૂલતા પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી તાલુકાનાં મોડપર ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને સાથે જ રામધૂનનું પણ ગામના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને મોડપર સમસ્ત ગામ વતી શ્રદ્ધાંજલિ સભા અને રામધૂન રાખવામા આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા






Latest News