મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા
SHARE
મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા
વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જોધપર દ્રારા તથા સમસ્ત જોધપર ખારીના ગ્રામજનો સાથે રહીને મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં દુઃખદ મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.તેમજ રામધુનનું આયોજન કરાયેલ છે.જેમાં રવિવારન તા.૩૦-૧૦ ના રોજ ઝૂલતા પુલ હોનારતમાં દિવગત થયેલા આત્માના સ્મરણાર્થે આવતીકાલ મંગળવારને તા.૮-૧૧ ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી મોરબીના દરબારગઢ ચોકમાં રામધૂન રાખવામાં આવેલ છે.જેમાં ઉપસ્થિત રહેવા સૌને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.
તેમજ મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોની આત્માની શાંતિ માટે ક્રાંતિકારી સેના દ્વારા અનોખી રીતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.જેમા જામદુધઈ ગામની શ્રી રામ ગૌશાળા તથા આમરણ ગૌશાળામાં ગાય માતાને લીલુ ઘાસ આપીને પ્રાર્થના કરી જે લોકો સાથે આ ઘટના બની અને તેના ભોગ બનનારા તમામની આત્માને ભગવાન શાંતિ આપે સાથોસાથે સદગતોના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.