મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા


SHARE





ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ કલ્યાણપર ગામે આજે તા.૭ ના વહેલી સવારે ખેતમજુર એવા શ્રમિક દંપતી વચ્ચે નજીવી વાતે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીંકી દઇને પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે.ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપી પતિ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા રાયબેન સુબોભાઈ વસુનીયા નામની પરિણીતાની તેના જ પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા આ હત્યાના બનાવ અંગે મૃતક રાયાબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ મથકમાં પોતાના બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધીને તપાસ ચાલુ કરી છે, જો સુત્રોનું માનીએ તો હત્યાનો આરોપી એવો મૃતક મહીલીનો પતિ પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.




Latest News