ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા
SHARE
ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા
મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ કલ્યાણપર ગામે આજે તા.૭ ના વહેલી સવારે ખેતમજુર એવા શ્રમિક દંપતી વચ્ચે નજીવી વાતે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીંકી દઇને પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે.ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપી પતિ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા રાયબેન સુબોભાઈ વસુનીયા નામની પરિણીતાની તેના જ પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા આ હત્યાના બનાવ અંગે મૃતક રાયાબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ મથકમાં પોતાના બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધીને તપાસ ચાલુ કરી છે, જો સુત્રોનું માનીએ તો હત્યાનો આરોપી એવો મૃતક મહીલીનો પતિ પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.









