ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસીની માંગ
SHARE
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસીની માંગ
મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે તો પણ જવાબદારોની સામે આકરા પગલાં લેવાના બદલે તેને છાવરમાં માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે ત્યારે મોરબીમાં ભારે આક્રોશ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્વયં સૈનિક દળ દ્વારા પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરવાના માલિક જયસુખ પટેલ સહિતના તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને હતભાગીઓના પરિવારને સરકાર તરફથી ૨૦ લાખની સહાય અને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને નિરાધાર બનેલ બાળકોના શિક્ષણની સવલતો આપવામાં આવે તેવી પણ માંગ કરી છે મોરબીમાં નવા બસ સ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધીની સ્વયં સૈનિક દળની રેલી યોજાઇ હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા અને પુલ દુર્ઘટનાના દોષીતોની સામે આક્રોશ સાથે આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી અને જયસુખ પટેલ સહિતના તમામને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું