મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી પિસ્તોલ - આઠ કાર્ટિસ સાથે એક શખ્સ ઝડપાયો
વાંકાનેરના નવાપરા પાસે ઇકો કારના ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત
SHARE
વાંકાનેરના નવાપરા પાસે ઇકો કારના ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર નવાપરા પાસેથી પસાર થતા આધેડ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ઇકો કારના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને આધાડનું મોત નીપજયું હતું જેથી અકસ્માત સર્જીને નાદધિ ગયેલા ઇકો કારના ચાલકની સામે હાલમાં મૃતક આધેડના પત્નીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વાહન ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણમાં મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સિદ્ધાર્થનગર રેલવે સ્ટેશન પાસે રહેતા મૂળ યુપીના રહેવાથી આશાબેન શુભાનારાયણ શર્મા (૪૮) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના પતિ સુભાનારાયણ તિલકેશ્વર શર્મા (ઉંમર ૫૦) પગપાળા ચાલીને નવાપરા પાસેથી પસાર થતા હતા ત્યારે ઇકો કાર નંબર જીજે ૩૮ બીબી ૨૭૦૮ ના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીના પતિ રસ્તા ઉપર પટકાતા તેને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ઇકો કારનો ચાલક ઘટના સ્થળ પરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલમાં મૃતકની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.