મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ

મોરબીમાં માતૃશ્રી દયાબેન મહીપતભાઈ શેઠ પરિવાર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું અને તમા ઘણા લોકો હાજર રહ્યા હતા

લોકોની આંખમાં આંસુ હોય, મનમાં કોઈ મદદે આવે એની રાહ હોય, ચિંતાના અંધારા વચ્ચે કોઈ પ્રકાશની આશા હોય ત્યારે જે તમારી મદદે આવે એજ તમારો ભગવાન. મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સમગ્ર ઘટના વખતે જેઓએ ખડે પગે હાજર રહી માનવ સેવાનો ધોધ વરસાવતા સંજયભાઈ શેઠ દ્વારા બચાવ કામગીરી કરતા તમામ લોકોને નિઃશુલ્ક ભોજન જમાડયું હતું અને આફતના આ સમયમાં એકપણ મિનિટનો વિચાર કર્યા વગર તમામ લોકો માટે સદાવ્રત ખુલ્લું મુકયું હતું ત્યાર બાદ આ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે ગત બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે અંતરાય કર્મની પૂજાનું આયોજન કરવામાં આવેલ છે. અને મોરબીના દરબાર ગઢ મોટા દેરાસરમાં દેરાસરમાં બિરાજમાન તીર્થંકરોની પૂજા સાથે પાર્શ્વ મંડળના બહેનો તેમજ નાના બાળકો દ્વારા પૂજન બાદ નવકાર મહામંત્રનો જાપ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે માતૃ દયાબેન મહિપતભાઈ શેઠ, સંજયભાઈ મહિપતભાઈ શેઠ, નેહલબેન સંજયભાઈ શેઠ અને કાવ્યા સંજયભાઈ શેઠ સહિતનાઓએ તેનો લાભ લીધો હતો






Latest News