ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં લાલપર નજીક રોડ ઉપર ખાડો આવતા અકસ્માત, યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં લાલપર નજીક રોડ ઉપર ખાડો આવતા અકસ્માત, યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે રોડ ઉપરના ખાડાના લીધે બાઇક સ્લીપ થઇ જતા ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો મયુર વિઠ્ઠલભાઈ કડીવાર નામનો ૩૪ વર્ષનો યુવાન તા.૫-૧૧ ના રોજ બાઈક લઈને જતો હતો ત્યારે લાલપર ગામ નજીક આવેલ શૈલેષ વે-બ્રિજ પાસે રોડ ઉપરના ખાડાના લીધે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત થયેલા મયુર કડીવારને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં રહેતા ગોપાલ ધનજીભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના યુવાનને પ્રેમજીનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતી રિધ્ધીબેન કાનાભાઈ જીવાભાઇ સવશેટા નામની ૧૮ વર્ષની યુવતી કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ માટે માળિયા પોલીસને બનાવની જાણ કરી હતી. જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળની અવધ સોસાયટીમાં રહેતો યોગી પ્રવીણભાઈ સેરશીયા નામનો ૨૪ વર્ષનો યુવાન ચિત્રકૂટ સોસાયટી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય બાઇક સાથે અથડાતા ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીમાં થયેલ મારામારી અને રાયોટીંગના ગુનામાં પીએસઆઇ જે.એલ. ઝાલા દ્વારા મારામારી અને રાઇટીંગના ગુનામાં સંડોવાયેલા સિધ્ધરાજ તુલસીભાઈ સોલંકી (૨૦) રહે. રોહીદાસપરા વીશીપરા નજીક મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના અંબીકા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે થયેલ મારામારીના ગુનામાં એ.એમ. જાપડીયા દ્વારા દેવદીપસિંહ સંગ્રામસિંહ જાડેજા (૩૮) અને વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (૪૫) રહે. અંબિકા રોડ મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News