ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક સામે નોંધાયો ગુનો


SHARE











હળવદના કવાડિયા ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના હળવદ તાલુકામાં હળવદ-ધાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટીયા પાસે ત્રીપલ વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકે ઇકો કાર સાથે વાહન અથડાવ્યા બાદ રોડ સાઇડમાં બંધ એસટી બસ સાથે ટેન્કર અથડાવીને અકસ્માત સર્જયો હતો જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને અમુક પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જે અંગે ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતના બનાવની વધુમાં મળતી માહિતી મુજબ હળવદ-ધાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટીયા પાસે તા.૯-૧૧ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ઇકો કાર નંબર જીજે ૧૦ ડીઇ ૩૨૧૦, એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૧૭૩ અને ટેન્કર નંબર જીજે ૧૨ બીવાય ૯૧૫૪ વચ્ચે સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇકો કારની આગળની સીટમાં બેઠેલા સેજુમલભાઈ મૂલચંદભાઈ જાંગીયાણી (ઉમર ૭૮) ને ગંભીર ઇજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એસટી બસમાં રહેલા અમુક પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઉપરોક્ત બનાવ સંદર્ભે ઇકો કારના ચાલક દિવ્યેશ દયાળજીભાઈ કાલાવડીયા જાતે પટેલ (૩૪) ધંધો કાપડનો વેપાર રહે. જામનગર પ્રયાગ રેસીડેન્સી લાલવાડી ઉમિયાનગર પાસે વાળાએ ટેન્કર નંબર જીજે ૧૨ બીવાય ૯૧૫૪ ના ચલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઉપરોક્ત નંબરના ટેન્કર ચાલકે પોતાના હવાલાનું ટેન્કર પુરઝડપે બેફીકરાઇપુર્વક ચલાવીને તેઓની ઇકો કાર સાથે અથડાવ્યું હતું અને બાદમાં આગળ રોડની સાઈડમાં બંધ ઉભેલ એસટી બસની સાથે તેનું ટેન્કર અથડાવ્યુ હતું જે બનાવમાં સેજુમલભાઈ જાંગીયાણીનું મોત નીપજ્યું હતું અને અન્ય મુસાફરો અને આરોપી ટેન્કર ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. હાલમાં હળવદ પીએસઆઇ જે.એમ. ધાંધલ દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના મહેન્દ્રપરા ગામે રહેતા રેશમાબેન ઇમરાનભાઈ ગાલબ નામની ૨૯ વર્ષીય મહિલાને જુના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના ખાખરાળા ગામના રહેવાસી સાગર હીરાભાઈ ડાંગર નામના યુવાનને નવલખી ફાટક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો તેમજ મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન કાળુભાઈ બોરાણા નામની ૪૦ વર્ષીય મહિલાને વીસીપરા વિસ્તારમાં મારામારીના બનાવવામાં ઈજા પહોંચતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. તો મોરબીના જેતપર ગામે રહેતા વિરમ નટવરભાઈ હમીરપરા નામનો ૨૪ વર્ષનો યુવાન ટ્રેક્ટરમાં જતો હતો ત્યારે ટ્રેક્ટરમાંથી પડી જતા ઈજાઓ થતા તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News