મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમાં પડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE









હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમાં પડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ વાડીએ પાણીના વહેણમાં પડી જવાથી યુવાનને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ણ નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ જમાદારની વાડીએ રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ માલણીયાદ ગામનો રહેવાસી યુવાન દિલીપભાઈ ભીખાભાઈ જાદવ જાતે રાજપૂત (ઉંમર ૨૮) વાડી પાસેથી પસાર થતાં પાણીના વહેણમાં પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલ બહાર કાઢીને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહિ નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હળવદ પોલીસને આ બનાવવાની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ જીતુભાઈ દેત્રોજાની વાડીએ રહેતા વિજયભાઈ નરવતભાઈ પસાયા (૨૭) વાડીએ હતા ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News