હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







હળવદના કવાડિયા ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના હળવદ તાલુકામાં હળવદ-ધાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટીયા પાસે ત્રીપલ વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકે ઇકો કાર સાથે વાહન અથડાવ્યા બાદ રોડ સાઇડમાં બંધ એસટી બસ સાથે ટેન્કર અથડાવીને અકસ્માત સર્જયો હતો જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને અમુક પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જે અંગે ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતના બનાવની વધુમાં મળતી માહિતી મુજબ હળવદ-ધાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટીયા પાસે તા.૯-૧૧ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ઇકો કાર નંબર જીજે ૧૦ ડીઇ ૩૨૧૦, એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૧૭૩ અને ટેન્કર નંબર જીજે ૧૨ બીવાય ૯૧૫૪ વચ્ચે સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇકો કારની આગળની સીટમાં બેઠેલા સેજુમલભાઈ મૂલચંદભાઈ જાંગીયાણી (ઉમર ૭૮) ને ગંભીર ઇજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એસટી બસમાં રહેલા અમુક પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઉપરોક્ત બનાવ સંદર્ભે ઇકો કારના ચાલક દિવ્યેશ દયાળજીભાઈ કાલાવડીયા જાતે પટેલ (૩૪) ધંધો કાપડનો વેપાર રહે. જામનગર પ્રયાગ રેસીડેન્સી લાલવાડી ઉમિયાનગર પાસે વાળાએ ટેન્કર નંબર જીજે ૧૨ બીવાય ૯૧૫૪ ના ચલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઉપરોક્ત નંબરના ટેન્કર ચાલકે પોતાના હવાલાનું ટેન્કર પુરઝડપે બેફીકરાઇપુર્વક ચલાવીને તેઓની ઇકો કાર સાથે અથડાવ્યું હતું અને બાદમાં આગળ રોડની સાઈડમાં બંધ ઉભેલ એસટી બસની સાથે તેનું ટેન્કર અથડાવ્યુ હતું જે બનાવમાં સેજુમલભાઈ જાંગીયાણીનું મોત નીપજ્યું હતું અને અન્ય મુસાફરો અને આરોપી ટેન્કર ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. હાલમાં હળવદ પીએસઆઇ જે.એમ. ધાંધલ દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના મહેન્દ્રપરા ગામે રહેતા રેશમાબેન ઇમરાનભાઈ ગાલબ નામની ૨૯ વર્ષીય મહિલાને જુના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના ખાખરાળા ગામના રહેવાસી સાગર હીરાભાઈ ડાંગર નામના યુવાનને નવલખી ફાટક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો તેમજ મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન કાળુભાઈ બોરાણા નામની ૪૦ વર્ષીય મહિલાને વીસીપરા વિસ્તારમાં મારામારીના બનાવવામાં ઈજા પહોંચતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. તો મોરબીના જેતપર ગામે રહેતા વિરમ નટવરભાઈ હમીરપરા નામનો ૨૪ વર્ષનો યુવાન ટ્રેક્ટરમાં જતો હતો ત્યારે ટ્રેક્ટરમાંથી પડી જતા ઈજાઓ થતા તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News