હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમાં પડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત
SHARE
હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત
હળવદના યાર્ડના વેપારીને ધંધામાં ખોટ જતાં તે વેપારીના પિતાએ ટેન્શનમાં આવીને રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ છે અને હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ અમૃતભાઈ માધવજીભાઈ મારવાણીયા (૬૫) રહે. સાનિધ્ય બંગલો રાણેકપર રોડ હળવદ વાળાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવારમાં લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અમૃતભાઈ મારવાણીયાના દિકરા પ્રદીપભાઈ અમૃતભાઈ મારવાણીયા (૩૦) ને હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારી છે અને તેમને ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેનું ટેન્શન આવી જતા વેપારી યુવાનના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે