ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત


SHARE











હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત

હળવદના યાર્ડના વેપારીને ધંધામાં ખોટ જતાં તે વેપારીના પિતાએ ટેન્શનમાં આવીને રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ છે અને હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ અમૃતભાઈ માધવજીભાઈ મારવાણીયા (૬૫) રહે. સાનિધ્ય બંગલો રાણેકપર રોડ હળવદ વાળાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવારમાં લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અમૃતભાઈ મારવાણીયાના દિકરા પ્રદીપભાઈ અમૃતભાઈ મારવાણીયા (૩૦) ને હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારી છે અને તેમને ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેનું ટેન્શન આવી જતા વેપારી યુવાનના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે






Latest News