મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત


SHARE













હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત

હળવદના યાર્ડના વેપારીને ધંધામાં ખોટ જતાં તે વેપારીના પિતાએ ટેન્શનમાં આવીને રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ છે અને હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ અમૃતભાઈ માધવજીભાઈ મારવાણીયા (૬૫) રહે. સાનિધ્ય બંગલો રાણેકપર રોડ હળવદ વાળાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવારમાં લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અમૃતભાઈ મારવાણીયાના દિકરા પ્રદીપભાઈ અમૃતભાઈ મારવાણીયા (૩૦) ને હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારી છે અને તેમને ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેનું ટેન્શન આવી જતા વેપારી યુવાનના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે






Latest News