મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમાં પડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE













હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમાં પડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ વાડીએ પાણીના વહેણમાં પડી જવાથી યુવાનને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ણ નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ જમાદારની વાડીએ રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ માલણીયાદ ગામનો રહેવાસી યુવાન દિલીપભાઈ ભીખાભાઈ જાદવ જાતે રાજપૂત (ઉંમર ૨૮) વાડી પાસેથી પસાર થતાં પાણીના વહેણમાં પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલ બહાર કાઢીને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહિ નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હળવદ પોલીસને આ બનાવવાની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ જીતુભાઈ દેત્રોજાની વાડીએ રહેતા વિજયભાઈ નરવતભાઈ પસાયા (૨૭) વાડીએ હતા ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News