હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત


SHARE







હળવદ યાર્ડના વેપારી યુવાનને ધંધામાં ખોટ જતાં તેના પિતાએ કર્યો આપઘાત

હળવદના યાર્ડના વેપારીને ધંધામાં ખોટ જતાં તે વેપારીના પિતાએ ટેન્શનમાં આવીને રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ છે અને હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ અમૃતભાઈ માધવજીભાઈ મારવાણીયા (૬૫) રહે. સાનિધ્ય બંગલો રાણેકપર રોડ હળવદ વાળાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવારમાં લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અમૃતભાઈ મારવાણીયાના દિકરા પ્રદીપભાઈ અમૃતભાઈ મારવાણીયા (૩૦) ને હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારી છે અને તેમને ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેનું ટેન્શન આવી જતા વેપારી યુવાનના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે






Latest News