મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને ટંકારા પડધરી બેઠકનો અનોખો સંયોગ
મોરબી જિલ્લામાંથી ગયેલા પક્ષ પલટુઓને ભાજપે ઘર ભેગા કરી દીધા: લલીતભાઈ કગથરા
SHARE
મોરબી જિલ્લામાંથી ગયેલા પક્ષ પલટુઓને ભાજપે ઘર ભેગા કરી દીધા: લલીતભાઈ કગથરા
મોરબી જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો લાગુ પડે છે જેમાના બે કોંગી ધારાસભ્યો વર્ષ ૨૦૧૭ ની સામાન્ય ચૂંટણી બાદ પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા હતા અને હાલમાં તે પક્ષ પલટુઓને ભાજપે ઘર ભેગા કરી દીધા છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું છે
વર્ષ ૨૦૧૭ માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લો પાટીદાર અનામત આંદોલનનો એપી સેન્ટર હોય અહીંયા તેની સૌથી વધુ અસર હતી અને ખાસ કરીને જે તે સમયે ભાજપના ઉમેદવારોને પાડી દેવાની ભાવના સાથે જ મતદારોએ મતદાન કર્યું હતું અને તેના ફળ સ્વરૂપે મોરબી જિલ્લાની ચારે ચાર બેઠકો ઉપર જે તે સમયે કોંગ્રેસમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા પરંતુ સમય અંતરે હળવદ ધાંગધ્રા બેઠકના કોંગ્રેસનાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને ત્યારબાદ મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પક્ષ પલટો કર્યો હતો અને પક્ષ પલટો કર્યા બાદ તે બંને ભાજપમાં ગયા હતા અને ભાજપમાંથી ટિકિટ મળતા તેઓ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતર્યા હતા અને પેટા ચૂંટણીમાં પણ તેઓ ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયા હતા જોકે હાલમાં હળવદ ધાંગધ્રાના વર્તમાન ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને મોરબી માળીયાના વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ટિકિટ કપાઇ છે ત્યારે ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાંથી જે બે પક્ષ પલટુઓ ભાજપમાં ગયેલા હતા તેની મહેમાનગતિ પૂરી થતાની સાથે જ હવે તે બંનેને ભાજપે ઘર ભેગા કરી દીધા છે