ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને ટંકારા પડધરી બેઠકનો અનોખો સંયોગ


SHARE











મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને ટંકારા પડધરી બેઠકનો અનોખો સંયોગ

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે જોકે મોરબી જિલ્લો જાહેર થયા બાદ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં અનોખો સંયોગ જોવા મળ્યો છે કારણ કે વર્ષ ૨૦૧૭ માં યોજાયેલ ચૂંટણીમાં પણ ટંકારા પડધરી બેઠક ઉપરથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખને ટિકિટ આપવામાં આવી હતી અને તેવી જ રીતે હાલમાં વર્ષ ૨૦૨૨ માં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠક ઉપરથી ભાજપના જિલ્લા પ્રમુખને ટિકિટ આપવામાં આવી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે કેટલાક મોટા ગજાનાં નેતાઓ, માજી મંત્રીઓ સહિતનાઓની ટિકિટો કપાઈ છે અને આ વખતે જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઘણા બધા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે અને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે તેમાં કોઈ સ્થાન નથી આવી જ રીતે જો વાત કરીએ મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠકની તો આ બેઠક સાથે અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે વર્ષ ૨૦૧૩ માં મોરબી જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધીમાં વિધાનસભાની એક ચૂંટણી યોજાઈ છે અને બીજી ચૂંટણી યોજવા માટે જઈ રહી છે

વર્ષ ૨૦૧૭ માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના જે તે સમયના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને ટંકારા પડધરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ હવે વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે જેમાં પણ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે જો કે, વર્ષ ૨૦૧૭ માં જ્યારે રાઘવજીભાઈ ગડારાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પાટીદાર અનામત આંદોલનની અસર હતી અને આ બેઠકમાં પાટીદારોનું સૌથી વધુ પ્રભુત્વ હોવાના હોવાથી ભાજપના ઉમેદવારને હાર સહન કરવી પડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલીતભાઈ કગથરા વિજેતા બન્યા હતા જોકે હાલમાં પાટીદાર અનામત આંદોલનની કોઈપણ જાતની અસર નથી પરંતુ આ બેઠકનું પરિણામ ભાજપની તરફે લાવવામાં અહીંના લોકલ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો કેટલા સફળ રહે છે તે તો આગામી સમય જ બતાવશે






Latest News