મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ મંત્રી મેરજા સહિતના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી


SHARE









મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા દ્વારા સત્તાવાર રીતે તેનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે જેમાં વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે થઈને ભાજપ દ્વારા કાંતિભાઈ અમૃતિયાને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને આજે તેઓએ મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, લાખાભાઇ જારીયા સહિતના આગેવાનના ત્યાં હાજર રહ્યા હતા અને બ્રિજેશભાઈએ ખાસ કરીને ન માત્ર મોરબી પરંતુ આ જિલ્લાને લાગુ પડતી પાંચે પાંચ વિધાનસભા બેઠકો ઉપર ભાજપના કમળ ખીલી ઉઠશે અને ગુજરાતમાં ભાજપની સરકાર ફરી પાછી બનશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો કાંતિભાઈ અમૃતીયાએ પણ જંગી બહુમતી સાથે આ બેઠક ઉપરથી તેઓની જીત નિશ્ચિત છે તેવી લાગણી વ્યક્ત કરે છે






Latest News