મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે અગાઉ મિત્રને ઝગડામાં છોડાવવા વચ્ચે પડેલ યુવાનને બે શખ્સોએ માર માર્યો.


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે અગાઉ મિત્રને ઝગડામાં છોડાવવા વચ્ચે પડેલ યુવાનને બે શખ્સોએ માર માર્યો.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર નગરમાં રહેતા યુવાનને બે શખ્સોએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને લાકડાના ધોકા અને ઢિકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા ભાવેશભાઈ ઉર્ફે કાલી ઉર્ફે રાધે કિશોરભાઈ સુમેસરા (૨૬) એ હાલમાં ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા રહે લીલપર અને પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી રહે. મચ્છુનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા તેના મિત્ર યતિશભાઈ બાબુભાઈ મૂછડિયા સાથે આરોપી પ્રફુલ બચુભાઈ સોલંકી માથાકૂટ કરીને ઝઘડો કરતો હતો ત્યારે યતિશ અને પ્રફુલભાઈને છોડાવવા માટે થઈને તે વચ્ચે પડેલ હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને તેની સાથે માથાકૂટ કરી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ પ્રફુલ સોલંકીએ તેને હાથમાં રહેલા ધોકા વડે માર માર્યો હતો અને ગૌતમ મકવાણાએ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ભાવેશભાઈ સુમેસરાએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


જુગાર

માળીયા મીયાણાના વાગડિયા જાપા પાસે ખંઢેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મુસ્તાક અબ્દુલભાઈ ખોડ જાતે મિયાણા (૨૯) રહે. મોટી બજાર ચોક માળીયા મીયાણા વાળાની ૪૪૦ ની રોકડ સાથે પકડવામાં આવેલ છે






Latest News