મોરબીના રફાળેશ્વર ગામે અગાઉ મિત્રને ઝગડામાં છોડાવવા વચ્ચે પડેલ યુવાનને બે શખ્સોએ માર માર્યો.
વાંકાનેરના કોઠારીયા ગામે પરણીતાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.
SHARE
વાંકાનેરના કોઠારીયા ગામે પરણીતાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે પરણીતાએ પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા કનકભાઈ કોબીયાના પત્ની ચકુબેન (૨૩) એ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિવિધ પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય પોલીસે મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે









