મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રોટરીનગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે


SHARE





મોરબીના રોટરીગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે તે લોકોના આત્માની શાંતિ માટે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા ૧૬ ના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રીતે ઝુલતા પુલના દિવંગત આત્માઓની આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રોટરીગર પાસે આવેલ કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા.૧૬ નવેમ્બરે રાતે ૯-૦૦ કલાકે મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની ઘટનામાં અવસના પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવંગતોના મોક્ષાર્થે હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે જેમાં આચાર્ય અશ્વિનકુમાર પાઠક સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવશે. અને ત્યારે દિવંગતોના ફોટા પણ ત્યાં મૂકવાના છે જેથી કરીને ફોટો વિમલભાઇ (૯૪૨૬૯૩૦૮૦૮) અને મહેન્દ્રસિંહ (૯૪૨૬૪૪૮૩૭૪) ને પહોચડવા માટે જણાવ્યુ છે




Latest News