મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રોટરીનગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે


SHARE







મોરબીના રોટરીગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે તે લોકોના આત્માની શાંતિ માટે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા ૧૬ ના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રીતે ઝુલતા પુલના દિવંગત આત્માઓની આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રોટરીગર પાસે આવેલ કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા.૧૬ નવેમ્બરે રાતે ૯-૦૦ કલાકે મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની ઘટનામાં અવસના પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવંગતોના મોક્ષાર્થે હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે જેમાં આચાર્ય અશ્વિનકુમાર પાઠક સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવશે. અને ત્યારે દિવંગતોના ફોટા પણ ત્યાં મૂકવાના છે જેથી કરીને ફોટો વિમલભાઇ (૯૪૨૬૯૩૦૮૦૮) અને મહેન્દ્રસિંહ (૯૪૨૬૪૪૮૩૭૪) ને પહોચડવા માટે જણાવ્યુ છે






Latest News