મોરબીના નીચી માંડલ પાસેથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે બે પકડાયા: બે બુટલેગરની શોધખોળ
મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે
SHARE
મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે
મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સનસિટી ગ્રાઉન્ડમાં તા ૧૭ નવેમ્બરના રોજ અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સાથે જ જોડાયેલ મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ૧૭ નવેમ્બરને ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા સનસિટી ગ્રાઉન્ડમાં અમૃત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહેશે આ અમૃત સંમેલનમાં રાજકોટ ગુરુકુલની તમામ શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે અને અમૃત સંમેલનમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે આ ઉપરાંત અમૃત સંવાદ, સંત દર્શન-સત્સંગ, રૂપકઃ ઘર બને એક મંદિર જેવા કાર્યક્રમો ત્યારે રજૂ કરવામાં આવશે