વાંકાનેરના સિંધાવદર ગામ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી બાળકનું મોત
મોરબીના ચકમપર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના ચકમપર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના ચકમપર ગામ પાસેથી પસાર થતી પાણીની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચકમપર ગામની સીમમાં રહેતા નરવતભાઈ લખમણભાઇ નાયક (ઉંમર ૨૯) ચકમપર ગામ પાસેથી પસાર થતી પાણીની કેનાલમાં કોઈ કારણોસર પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી