મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને સુપરસીડ કેમ કરવામાં આવી નથી ?, આજે પાલિકાને હાઈકોર્ટે સ્પે. બેલિફ મારફતે ફટકારી નોટિસ


SHARE











મોરબી પાલિકાને સુપરસીડ કેમ કરવામાં આવી નથી ?, આજે પાલિકાને હાઈકોર્ટે સ્પે. બેલિફ મારફતે ફટકારી નોટિસ

મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને આજે તેની સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે હાઇકોર્ટના જજે મોરબી ડિસિપ્લિનરી પગલાં તાત્કાલિક કેમ લેવામાં આવેલ નથી અને મોરબી પાલિકાને કેમ સુપરસીડ કેમ કરવામાં આવી નથી તેવો પણ સવાલ કરેલ છે અને આ ઘટનામાં પાલિકાની જવાબદારી શું તેનું પણ પુછવામાં આવ્યું છે તેમજ હાઈકોર્ટે ઓનલાઈન નોટિસ મોકલીને સ્પેશ્યલ બેલિફ મારફતે મોરબી પાલિકાને નોટિસ ફટકારી છે

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે હોનારતમાં ૫૦ જેટલા બાળકો સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાનો આદેશ કર્યો હતો આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાઈકોર્ટેમાં જે સુઓમોટો દાખલ કરવામાં આવેલ છે તેની આજે ચીફ જસ્ટિસની હાજરીમાં સુનાવણી કરવામાં આવી હતી

ત્યારે ઘણા મુદાઓને હાઇકોર્ટના જજે ગંભીરતાથી લીધેલ છે અને ખાસ કરીને કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કેમ કરવામાં આવેલ નથી ? હજુ સુધી કેમ રિજનેબલ સ્ટેપ કેમ લેવામાં આવેલ નથી ?, એગ્રીમેન્ટમાં ઘણી મહત્વની કન્ડિશન કેમ નથી ?, માર્ગ મકાન વિભાગના ચીફ ઇજનેર પાસે કેમ ચેક કરવામાં આવેલ નથી ?, આ ઘટના પછી ગુજરાત સરકારે શું પગલાં લીધા ?, પાલિકાને હજુ સુધી કેમ સુપર સિડ કરવામાં આવેલ નથી ?, પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેની પણ નોંધ કરવામાં આવી છે આટલું જ નહીં હાઈકોર્ટે ઓનલાઈન નોટિસ મોરબીના ડિસ્ટ્રિક્ટ જજને મોકલીને તે સ્પેશ્યલ બેલિફ મારફતે મોરબી પાલિકાને બપોરના સાડા ચાર પહેલા નોટિસ આપવા માટે જણાવ્યુ છે

અત્રે ઉલેખનીય છે કે, પાલિકાને ઓરેવા ગ્રુપે વર્ષ ૨૦૨૨ માં છ વખત જે ઝૂલતા પુલ માટે પત્રો લખ્યા હતા અને પુલના રિપેરિંગ કામ માટે કહ્યું હતું તેની પણ હાઇકોર્ટમાં ગંભીર નોંધ લેવામાં આવી છે તેમજ રીઝનલ કમિશનર મ્યુનિસિપલ્ટી પાસેથી ઝુલતો પુલ તૂટી ગયા પછી શું પગલાં લેવામાં આવેલ છે તેની માહિતી માંગવામાં આવેલ છે કયા આધારે ઓરેવાને પુલની જવાબદારી આપવામાં આવી હતી ?  અને પહેલો કરાર કરવામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ ડૉક્યુમેન્ટ એક જ દિવસમાં સીલ બંધ કવરમાં મંગાવવામાં આવેલ છે તેવું જાણવા મળી રહ્યું છે






Latest News