મોરબીના હરિપર (કે) ગામે શિક્ષિકાએ બે શાળાના બાળકોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો
મોરબીમાં પૂલ દુર્ઘટનાના દિવંગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો
SHARE
મોરબીમાં પૂલ દુર્ઘટનાના દિવંગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો
મોરબીમાં બનેલ ઝૂલતા પુલ દુર્ઘટનામા ૧૩૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ત્યારે આ તમામ દિવંગતોના આત્માના શાંતિ અર્થે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના બાપા સીતારામ ચોકમાં આવેલ નરસંગ મંદિરમાં મોરબી તાલુકા બ્રહ્મા સમાજના પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ, ઉપપ્રમુખ હાર્દિકભાઈ વ્યાસ તેમજ મહામંત્રી હરીશભાઈ પંડ્યા અને નિમિષભાઈ તિલાવત સહિતના ભૂદેવો દ્વારા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ દિવંગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ હોમાત્મક પદાર્થોથી આહુતિઓ આપીને દિવંગત આત્માઓના શાંતિ અર્થે યજ્ઞ કરવામાં આવ્યો હતી