મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ૨૪મીએ રૂબરૂ હાજર રહેવા હાઇકોર્ટનો આદેશ
SHARE
મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ૨૪મીએ રૂબરૂ હાજર રહેવા હાઇકોર્ટનો આદેશ
મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો તે બનાવને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી છે જેની આજે સતત બીજા દિવસે સુનાવણી કરવામાં આવી હતી અને તેમાં સાડા ચાર પહેલા નગરપાલિકાને એફિડેવીટ સાથે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતુ અને નગરપાલિકા વતી તેમના વકીલ દ્વારા એફિડેવીટ સાથે નગરપાલિકાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઇકોર્ટના જજે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આગામી તા. ૨૪ ના રોજ હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કરેલ છે
ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે મોરબીનો ઝુલતોપુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમોટો દાખલ કરવામાં આવી હતી જેની ગઈકાલે સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારે હાઇકોર્ટ દ્વારા મોરબી નગરપાલિકાને ઓનલાઈન ઈમેલ મારફતે નોટિસ મોકલાવવામાં આવી હતી અને આજે તેનો જવાબ રજૂ કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું અને બુધવારે જ્યારે સુનાવણી શરૂ કરવામાં આવી ત્યારે નગરપાલિકાના વકીલ દ્વારા એક દિવસની મુદત માંગવામાં આવી હતી જોકે હાઇકોર્ટે મુદત આપી ન હતી અને બપોરે સાડા ચાર પહેલા મોરબી નગરપાલિકાનો જવાબ એફિડેવીટ સાથે રજૂ કરવા માટે કહ્યું હતું જેથી કરીને નગરપાલિકા દ્વારા હાઇકોર્ટમાં સદા ચાર પહેલા તેનો એફિડેવીટ સાથેનો જવાબ રજૂ કરી દેવામાં આવેલ છે
મોરબી નગરપાલિકા દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે તેમાં ખાસ કરીને ઓરેવા કંપનીને કરાર કરીને જુલત્પ પુલ પહેલી વખત આપવામાં આવ્યો હતો ત્યારથી લઈને તૂટ્યો ત્યાં સુધીની તમામ તારીખની ડિટેલ આપવામાં આવી છે અને ખાસ કરીને હાઇકોર્ટ દ્વારા એ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે કે અગાઉ વર્ષ ૨૦૨૨ માં આ પુલ જર્જરિત હોય તે બાબતે રીપેરીંગ કરવા માટે થઈને કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી અજંતા કંપની દ્વારા નગરપાલિકાને પત્ર લખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મુદ્દો જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો હતો અને છેલ્લે નગરપાલિકા દ્વારા ઓરેવા કંપની સાથે કરાર કરીને આ ઝુલતા પુલની જાળવણી, સમારકામ સહિતની તમામ જવાબદારી સાથે તેને કામગીરી આપવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારબાદ મોરબી નગરપાલિકાના જે તે સમયના ચીફ ઓફિસર કે જેને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સંદીપસિંહ ઝાલાએ જે સ્ટેટમેન્ટ મીડિયા સમક્ષ આપ્યું હતું કે પુલ ચાલુ કરવાની ઓરેવા ગ્રૂપ દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી તે બાબતને પણ એફિડેવિટમાં આવરી લેવામાં આવેલ છે અને તે મુજબનો જવાબ એફિડેવીટ સાથે રજૂ કરવામાં આવેલ છે તેવું હાલમાં જાણવા મળ્યું છે જોકે નગરપાલિકા દ્વારા બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ સાથે જવાબ રજૂ કરવામાં આવ્યા બાદ આગામી તા ૨૪ ના રોજ મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે થઈને આદેશ કરવામાં આવેલ છે