મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કારખાનામાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત


SHARE











મોરબીના લાલપર પાસે કારખાનામાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

મોરબીના લાલપર પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન ત્રીજા મળેથી નીચે ફટકાતા શરીરે ઇજા થવાના કારણે આધેડને સારવારમાં ખસેડાયા હતા જોકે સારવાર કારગત નહિ નિવડતા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામની સીમમાં આવેલ મિલેનિયમ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લીલાજી મીણાજી ઠાકોર (ઉમર ૫૬) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્રીજા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેને રાજકોટ વધુ સારવાર માટે લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News