મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પુત્રના બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઈક સ્લીપ થઈ જતા આધેડનું મોત


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પુત્રના બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઈક સ્લીપ થઈ જતા આધેડનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની ચોકડી પાસેથી પોતાના પુત્રના બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જતા પટેલ આધેડનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલની ચોકીમાંથી મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ રોયલ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા ત્રિભોવનભાઈ લવજીભાઈ પાંચોટિયા જાતે પટેલ નામના ૫૬ વર્ષીય આધેડ પોતાના પુત્રના બાઈકની પાછળ બેસીને કારખાને જવા માટે નીકળ્યા હતા ત્યારે પીપળી રોડ નજીક મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલા ત્રિભુવનભાઈ પાંચોટિયાને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન ત્રિભોવનભાઇ પાંચોટીયાનું મોત નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ પોલીસ દ્વારા આ અંગે મોરબી પોલીસને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક ત્રિભુવનભાઈ પાંચોટિયાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે તેઓ પાંચ ભાઈ અને એક બહેનમાં વચેટ હતા.હાલ મોરબી પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મારામારીમા ઈજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની પંકજ દયારામભાઈ મસોત નામના ૩૮ વર્ષના યુવાનને ટંકારા તાલુકાના નસીપર ગામના ઝાંપા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા ભરતભાઈ મગનભાઈ ભોરણીયા નામનો ૪૫ વર્ષનો યુવાન શેરીમાંથી પગપાળા જતો હતો ત્યારે રસ્તામાં નીચે પડી જતા ઇજાઓ પહોંચતા તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વનાળીયા વિસ્તારમાં રહેતો કેવલ અશોકભાઈ કલોલા નામનો ૧૯ વર્ષનો યુવાન ઘરેથી બાઈક લઈને વસ્તુ લેવા માટે દુકાન તરફ જતો હતો ત્યારે મોરબીના નવલખી ફાટકે સીએનજી પંપ નજીક તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટ લેતા કેવલ કલોલા નામના યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી તેને અત્રે ડોક્ટર હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જેથી કરીને બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.






Latest News