મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

આજે યોગી આદિત્યનાથ, ભુપેન્દ્ર પટેલ અને શિવરાજસિંહ ચૌહાણ મોરબી જિલ્લામાં ચૂંટણી સભા ગજવશે


SHARE







આજે યોગી આદિત્યનાથ, ભુપેન્દ્ર પટેલ અને શિવરાજસિંહ ચૌહાણ મોરબી જિલ્લામાં ચૂંટણી સભા ગજવશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે અને આ ત્રણેય બેઠકો ભાજપ અંકે કરવા માટે થઈને હાલમાં જનસંપર્ક કરીને મતદારોને રિજવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ ભાજપના સ્ટાર પ્રચારકોને ફોજને આજે મોરબી જીલ્લામાં ઉતારવામાં આવી છે અને મોરબી જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાઓ ઉપર ગુજરાત, યુપી અને એમપી ના સીએમ એક જ દિવસે સભાઓ ગજવશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે અને આ ત્રણેય ત્રણેય બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તેના માટે થઈને ભાજપ દ્વારા જનસંપર્ક કરીને મતદારોને રિજવવા માટેના બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક આગેવાનો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોને અંકે કરવા માટે થઈને ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજને આજે મોરબી જિલ્લામાં ઉતારવામાં આવી છે અને એક જ દિવસે દેશના ત્રણ રાજ્યના સીએમ મોરબી જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ ચૂંટણી સભા ગજવશે

ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા માટે રવાપર ગામે બહુચરાજી મંદિર સામેના ભાગમાં આવેલ મેદાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે મોરબી માળિયા વિધાનસભા બેઠકને ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે શહેરના સનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડમાં એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણી માટે હિન્દુત્વના બ્રાન્ડ આઇકોન અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સવારે ૧૨ વાગ્યે કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધન કરવાના છે






Latest News