મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

આજે યોગી આદિત્યનાથ, ભુપેન્દ્ર પટેલ અને શિવરાજસિંહ ચૌહાણ મોરબી જિલ્લામાં ચૂંટણી સભા ગજવશે


SHARE













આજે યોગી આદિત્યનાથ, ભુપેન્દ્ર પટેલ અને શિવરાજસિંહ ચૌહાણ મોરબી જિલ્લામાં ચૂંટણી સભા ગજવશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે અને આ ત્રણેય બેઠકો ભાજપ અંકે કરવા માટે થઈને હાલમાં જનસંપર્ક કરીને મતદારોને રિજવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ ભાજપના સ્ટાર પ્રચારકોને ફોજને આજે મોરબી જીલ્લામાં ઉતારવામાં આવી છે અને મોરબી જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાઓ ઉપર ગુજરાત, યુપી અને એમપી ના સીએમ એક જ દિવસે સભાઓ ગજવશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે અને આ ત્રણેય ત્રણેય બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તેના માટે થઈને ભાજપ દ્વારા જનસંપર્ક કરીને મતદારોને રિજવવા માટેના બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક આગેવાનો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોને અંકે કરવા માટે થઈને ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજને આજે મોરબી જિલ્લામાં ઉતારવામાં આવી છે અને એક જ દિવસે દેશના ત્રણ રાજ્યના સીએમ મોરબી જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ ચૂંટણી સભા ગજવશે

ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા માટે રવાપર ગામે બહુચરાજી મંદિર સામેના ભાગમાં આવેલ મેદાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે મોરબી માળિયા વિધાનસભા બેઠકને ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે શહેરના સનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડમાં એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણી માટે હિન્દુત્વના બ્રાન્ડ આઇકોન અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સવારે ૧૨ વાગ્યે કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધન કરવાના છે






Latest News