મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા સાત આરોપીઓએ મૂકી જામીન અરજી: ૨૧મીએ સુનાવણી
SHARE
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા સાત આરોપીઓએ મૂકી જામીન અરજી: ૨૧મીએ સુનાવણી
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે દરમ્યાન સાત આરોપીઓએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. તેની વધુ સુનાવણી આગમી તા ૨૧ ના રોજ રાખવામા આવી છે
મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી અગાઉ આરોપી પ્રકાશ લાલજીભાઈ પરમારે જામીન લેવા માટે અરજી કરી હતી અને હાલમાં મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરેલ છે આ આઠ આરોપીની જામીન અરજીમાં વધુ સુનાવણી તા. ૨૧ ના રોજ રાખવામા આવી છે