મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટિકનો ધંધો બરોબર ચાલતો ન હોય દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE













મોરબીમાં પ્લાસ્ટિકનો ધંધો બરોબર ચાલતો ન હોય દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના અમરનગર ગામનો યુવાન ટંકારા તાલુકાના લજાઈ નજીક તેના કારખાને ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને ધંધો બરોબર ચાલતો ન હોય તેણે ઉપરોક્ત પગલું ભરી લીધુ હોવાનો ખુલ્યું હતું.

બનાવની જાણવા મળતી માહીતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામે બાલમંદિરની પાસે રહેતા ઉપેન્દ્રભાઈ ભૂદરભાઈ પાંચોટિયા નામનો ૩૭ વર્ષેનો યુવાન ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક આવેલ હડમતીયા રોડ ઉપર વિનાયક પ્લાસ્ટિક કંપની નામના કારખાનામાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે ઉપેન્દ્રભાઈ પાંચોટિયાનો પ્લાસ્ટિકનો ધંધો છેલ્લા થોડા સમયથી બરોબર ચાલતો ન હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને લઈને તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું હાલ તેઓ સારવાર હેઠળ છે.પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસે ટંકારા પોલીસને બનાવ અંગ જાણ કરવામાં આવી હતી.જ્યારે મૂળ બગથળા ગામનો વતની અને હાલ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં રહેતો ગોપીભાઈ ચતુરભાઈ મકવાણા જાતે દેવીપુજક નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ અજાણી દવા પી જતા તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે હાલ ગોપીભાઈ મકવાણા બેભાન હાલતમાં હોય બનાવના કારણ સંદર્ભે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

મારામારીમા ઇજા

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મારામારીના બનાવમાં જામનગરના રહેવાસી તિલક રમેશભાઈ ધોણાદિયા (૨૪) અને વિશાલ હેમંત રાઠોડ (૨૫) નામના બે યુવાનોને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં ઘર પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બાજુ બાજુમાં રહેતા મહેશ હરખાભાઈ વાઘેલા (૨૬) અને દીપક તિલકપ્રસાદ આર્યા (૪૫) ને ઉજાઓ થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

ટંકારાના વીરપર ગામના શાંતાબેન જગદીશભાઈ ચાવડા નામના ૬૦ વર્ષના વૃદ્ધા શાક માર્કેટ પાસેથી જતા હતા ત્યાં તેઓને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે માળિયાના મોટા દહીંસરા ગામનો દીપક ધીરુભાઈ મૈયડ નામનો ૩૪ વર્ષનો યુવાન દહીસરાથી પીપળીયા ગાડી લઈને જતો હતો ત્યારે ગાડી ટ્રક સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો. તેમજ ટંકારાના જબલપુર ગામે રહેતો દુધામ અગરુભાઈ ભુરીયા જાતે આદિવાસી નામનો ૨૪ વર્ષનો યુવાન હસુભાઈની વાડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે ખસેડાયો હતો.






Latest News